ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવ યોજાયો


SHARE













મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદોત્સવ યોજાયો

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્મ સમાજના પરિવારો માટે લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મ પરિવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બહેન દીકરો સહિતના ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમમાં બેસ્ટ એક્શન, બેસ્ટ ડ્રેસ, લિટલ પ્રિન્સ, લિટલ પ્રિન્સેસ અને અંતમાં પ્રિન્સ તેમજ પ્રિન્સેસને ઇનામો અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ અને પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભૂપતભાઇ પંડ્યા, હળવદ બ્રહ્મ સમાજના યુવા અગ્રણી અને જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે, નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઇ મહેતા, દિનેશભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ મહેતા, અમીતભાઈ પંડ્યા, મુકેશ ભાઈ જાની (ભૂદેવ), જગદીશ ભાઈ ઓઝા, પ્રથમ પંડ્યા, નરેન્દ્રભાઇ જોશી (નારૂમામાં), એચ.એન. મહેતા, નીશીત મહેતા, પીઆઈ એમ.પી. પંડ્યા, નાયબ મામલતદાર એન.એચ. જોશી, મુકુન્દરાય પી. જોશી, ડો.લહેરું, મહેશભાઈ પિંગળ, ડો.રાજુભાઈ ભટ્ટ, મહિલા પાંખના પ્રમુખ ચેતનાબેન જોશી, નોટરી મનીષભાઈ જોશી, પ્રતિકભાઈ આચાર્ય સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનવવા મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી,મહામંત્રી નયનભાઈ પંડ્યા અને જયદિપભાઈ મહેતા,ઉપપ્રમુખ મહીધરભાઈ દવે, કમલભાઈ દવે, ઋષિ ભાઈ મહેતા અને ધ્વનિત ભાઈ દવે સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી વધુમાં સંસ્થાના પ્રમુખે જણાવ્યુ છે કે, તા ૩૦ ના રોજ મોરબી પરશુરામ યુવા ગ્રુપે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માના શાંતિ માટે પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિએ મચ્છુ માતાજીના મંદિર પાસે મચ્છુ નદીના કાંઠે શાંતી યજ્ઞનું આયોજન કરેલ છે જેમાં મોરબી પરશુરામ યુવા ગ્રુપના તમામ સભ્યો હાજર રહેશે






Latest News