મોરબીના રવાપર રોડે વિજયનગર તરફ જવાનો રસ્તો ખોલવા કલેક્ટરને રજુઆત
SHARE
મોરબીના રવાપર રોડે વિજયનગર તરફ જવાનો રસ્તો ખોલવા કલેક્ટરને રજુઆત
મોરબીના રવાપર રોડે આવેલ વિજયનગર-૧ અને ૨ સોસાયટીના લોકોએ કલેકટરને આવેદન પરે આપીને રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, વિજયનગર સોસાયટીના લોકો જે રસ્તા ઉપરથી છેલ્લા ૩૫ વર્ષથી ચાલે છે તે મુખ્યમાર્ગને બાજુની સોસાયટીના લોકોએ બંધ કરો દીધો છે. જેથી વિજયનગર સોસાયટીના લોકોને હેરાન થવું પડે છે ત્યારે વિજયનગર સોસાયટીના લોકો સહિત આજુબાજુની સોસાયટીના લોકોને હેરાન ન થવું પડે તે માટે રસ્તો ખોલવામાં આવે તેવી સોસાયટીના લોકોએ કલેકટરને રજુઆત કરી છે અત્રે ઉલેખનીય છે કે, બે વર્ષ અગાઉ પણ આ સોસાયટીનો મુખ્ય રસ્તો બંધ કર્યો હતો ત્યારે તંત્રને રજૂઆત કરવામાં આવી ત્યાર પછી રસ્તો ખોલવામાં આવ્યો હતો જેથી કરીને વહેલી તકે રસ્તો ખોલવાની માંગ કરવામાં આવી છે વધુમાં સ્થાનિક લોકોના કહેવા માટે જે રસ્તો બધ કરવામાં આવેલ છે તે વિજયનગરના લોકો માટે ઇમર્જન્સી રસ્તો છે જેથી કરીને વહેલી તકે આ વિવાદનો નિવેડો આવે તે જરૂરી છે