મોરબીના રવાપર રોડે વિજયનગર તરફ જવાનો રસ્તો ખોલવા કલેક્ટરને રજુઆત
મોરબીના પાટીદાર શિક્ષક સમાજનો પાંચમો વાર્ષિક સ્નેહમિલન સમારોહ સંપન
SHARE
મોરબીના પાટીદાર શિક્ષક સમાજનો પાંચમો વાર્ષિક સ્નેહમિલન સમારોહ સંપન
મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ૭૧૨ જેટલા કડવા-લેઉવા પાટીદાર શિક્ષકો જેનું 'મોરબી પાટીદાર શિક્ષક સમાજ 'નામનું સંગઠન કાર્યરત છે, જેઓ "હું નહીં આપણે "ની તાકાત સાથે સંગઠનમાં જોડાયેલા સભાસદો પોતાની સરકારી ફરજની સાથે સાથે મોરબીમાં વર્ષ દરમ્યાન યોજાતા સેવાકીય પ્રકલ્પો જેવા કે સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ જેવા કાર્યક્રમોમાં પોતાનું યોગદાન આપે છે
દર બે મહિને કાર્યકર્તાઓ મળે છે અને જુદી જુદી સમસ્યાઓ વિશે ચર્ચા-વિચારણા કરી એકમેકને મદદરૂપ થઇ સમસ્યા ઉકેલે છે.પાટીદાર સમાજની જુદી જુદી સામાજિક સંસ્થાઓ સાથે સંકલન સાધી સામાજિક ફલક પર કાર્યરત છે. આ પાટીદાર શિક્ષક સમાજનો સ્નેહમિલન સમારોહ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પીઆઇ ડી.એમ. ઢોલ ની પ્રેરક હાજરીમાં રાખવામા આવ્યું હતું ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, અશોકભાઈ વડાલિયા, પ્રવિણભાઈ ભોરણીયા તેમજ દિનેશભાઈ વડસોલા સહિતના હાજર રહ્યા હતા અને તેની હાજરીમાં તેજસ્વી તરલાઓનું અને વર્ષ દરમિયાન નિવૃત થયેલ ૧૮ જેટલા શિક્ષક બંધુ ભગીનીઓનું સન્માન કરાયું હતું. તેની સાથોસાથ પ્રકાશભાઈ વરમોરા નવનિયુક્ત ધારાસભ્યનું પણ સન્માન કરાયું હતું. અને આ તકે સહુ આગેવાનોએ પ્રસંગીક પ્રવચન પણ આપ્યું હતું જો કે, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયા અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય તેઓએ શુભેચ્છા સંદેશ આપેલ હતા આ કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ મારવણીયા, શૈલેશભાઈ ઝાલરીયા, અશ્વિનભાઈ એરણીયા, સંજયભાઈ બાપોદરિયા વગેરેની ટીમે કર્યું હતું, આ કાર્યક્રમને સફળ બનાવવા સંદીપભાઈ આદ્રોજા, રમેશભાઈ કાલરીયા, જીજ્ઞેશ રાબડીયા, શૈલેષભાઈ કાલરીયા, શશીકાંત ભટાસણા, સંદીપભાઈ લોરીયા,અશોકભાઈ વસિયાણી,ગિરીશ કલોલા,મુકેશ બરાસરા, રમેશભાઈ ભાટિયા,રાજેશ મોકાસણા,અશ્વિનભાઈ દલસાણીયા, કિરણભાઈ કાચરોલા, સતીશભાઈ જીવાણીએ ખૂબ જહેમત ઉઠાવી હતી.