મોરબીના પાટીદાર શિક્ષક સમાજનો પાંચમો વાર્ષિક સ્નેહમિલન સમારોહ સંપન
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના પરિવારજનો દ્વારા ગાંધી આશ્રમે શ્રદ્ધાંજલિ સભા યોજાઇ
SHARE
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના પરિવારજનો દ્વારા ગાંધી આશ્રમે શ્રદ્ધાંજલિ સભા યોજાઇ
મોરબીની જુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ઝુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો દ્વારા અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીથી ઘણા લોકો હાજર રહ્યા છે
મોરબીમાં એક વર્ષ પહેલા જુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટની અંદર મેટર ચાલી રહી છે જો કે, તા ૩૦/૧૦/૨૩ ના રોજ આ ઘટનાને એક વર્ષ પૂરું થતા ટ્રેજેડી વિકટીમ એસોસિયેશ દ્વારા જુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક વ્યક્તિઓના પરિવારજનોને સાથે રાખીને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીથી ઘણા લોકો હાજર રહ્યા હતા તેવું ટ્રેજેડી વિકટીમ એસોસિએશનના હોદ્દેદારો પાસેથી જાણવા મળ્યું છે