મોરબીમાં પુલ દુર્ઘટનાના દિવંગતોને જુદીજુદી સંસ્થાઓ-લોકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
ભાજપમાં ભંગાણ: ટંકારા તાલુકામાં ભાજપને છોડીને આગેવાનો-કાર્યકરોનો કોગ્રેસમાં પ્રવેશ
SHARE
ભાજપમાં ભંગાણ: ટંકારા તાલુકામાં ભાજપને છોડીને આગેવાનો-કાર્યકરોનો કોગ્રેસમાં પ્રવેશ
ટંકારા તાલુકાના વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલ ક્ષત્રિય આગેવાનો સરદાર વલ્લભભાઈની જન્મ જયંતિ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિના દિવસે ભાજપ છોડીને કોગ્રેસ પક્ષની વિચાર ઘારામાં સામેલ થયા છે અને ઝાલા મયુરસિહ પ્રવિણસિંહ અને શ્રીપાલસિંહ કેશુભા તેઓના સહકાર્યકરો અને મિત્ર વર્તુળ સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે ત્યારે કોંગ્રેસ પક્ષના ટંકારા તાલુકા પ્રમુખ જીતુભાઈ ગોસરા, મોરબી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબીયા, મોરબી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ બળવંતભાઈ વોરા, પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન એલ.એમ. કણજારિયા, ટંકારા કોંગ્રેસ મહામંત્રી દુષ્યંત ભૂત, કોંગ્રેસના યુવા આગેવાન ફિરોજભાઈ, મોરબી જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી, મોરબી તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા મુળુભાઈ કુંભારવાડીયા, તાલુકા પંચાયત સદસ્ય રજનીશભાઈ સિરવીએ કોંગ્રેસનો ખેસ પહેરાવી બંને આગેવાન અને તેની સાથે આવેલા તેમના ટેકેદારોને પક્ષમાં આવકાર્યા હતા હાલમાં ઝાલા મયુરસિંહને ટંકારા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે અને શ્રીપાલસિંહ ઝાલાને ટંકારા તાલુકા કોંગ્રેસના મંત્રી તરીકે જવાબદારી આપવામાં આવેલ છે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યુ છે









