મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેર નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં ઘરમાંથી 22 બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ, 1.18 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સનાતન ધર્મ યાત્રાનું ભવ્ય સ્વાગત, રાજમાર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા


SHARE













મોરબીમાં સનાતન ધર્મ યાત્રાનું ભવ્ય સ્વાગત, રાજમાર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા

ગુરજાતમાં સનાતન ધર્મની જાગૃતતા માટે શ્રી સનાતન ધર્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા આજે મોરબીના આંગણે આવી હતી ત્યારે મોરબીના પરાબજાર, નહેરુ ગેઇટ ચોક સહિતના વિસ્તારમાં સાધુ સંતો સહિતનાઓ દ્વારા તલવાર બાજી સહિતના કરતબો કર્યા હતા ત્યારે મોરબીના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા

શ્રી શંભુ પંચદશનામ આવાહન અખાડા મહામંડલેશ્વર અનંત વિભૂષિત સ્વામી કૃષ્ણાનંદપૂરી મહારાજની પ્રેરણાથી શ્રી સનાતન ધર્મની જાગૃતતા માટે ગુજરાતમાં શ્રી સનાતન ધર્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા તા. ૨૪ ને વિજયાદશમીથી નીકળી છે અને ભગવાન દ્વારકાધીશજીના સાનિધ્ય દ્વારકાથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને દ્વારકાથી નીકળેલ આ યાત્રા જુદાજુદા વિસ્તારોમાં ફરી રહી છે અને સુદામાનગરી પોરબંદર ખાતે આ યાત્રા પૂરી કરવાની છે જો કે, આજે આ સનાતન ધર્મ યાત્રા મોરબી શહેરમા આવી હતી ત્યારે મોરબીના પરાબજાર, નહેરુ ગેઇટ ચોક, શનાળા રોડ સહિતના વિસ્તારમાં સાધુ સંતો સહિતનાઓ દ્વારા તલવાર બાજી સહિતના કરતબો કરવામાં આવ્યા હતા અને મોરબીના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા અને આ યાત્રા આજે મોરબીથી રાજકોટ (રણુજા મંદિર) તરફ જવા માટે આગળ વધી હતી 








Latest News