હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારામાં સગાઈના પ્રસંગમાં આવી રહેલ બે વ્યક્તિના બાઇકને કાર ચાલકે બંગાવડી પાસે હડફેટે લેતા બંનેના મોત


SHARE













ટંકારામાં સગાઈના પ્રસંગમાં આવી રહેલ બે વ્યક્તિના બાઇકને કાર ચાલકે બંગાવડી પાસે હડફેટે લેતા બંનેના મોત

ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલ રામદેવ હોટલથી થોડી આગળના ભાગમાં સ્કોર્પિયો કારના ચાલકે ડબલ સવારી બાઇકને લીધું હતું અને જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બાઈક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિઓના મોત નીપજયાં હતા આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અકસ્માત સર્જીને નાશી ગયેલા કાર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના રહેવાસી સુરેશભાઈ નાગજીભાઈ પરમાર જાતે અનુ.જાતી (૩૦)એ હાલમાં સ્કોર્પિયો કાર નંબર જીજે ૩૬ એસી ૨૩૬૦ ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ભાદરકા ગામેથી તેના પિતા નાગજીભાઈ ટપુભાઈ પરમાર (૪૭) અને તેના કૌટુંબિક ભાઈ પરસોતમભાઈ ઉગાભાઇ પરમાર (૩૭) ટંકારા ખાતે તેઓના સગાને ત્યાં સગાઈના પ્રસંગમાં હાજરી આપવા માટે થઈને આવી રહ્યા હતા ત્યારે ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલ રામદેવ હોટલ નજીક સ્કોર્પિયો કારના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતના બનાવ બન્યો હતો અને અકસ્માતમાં બનાવમાં ફરિયાદીના પિતા નાગજીભાઈ અને કૌટુંબી ભાઈ પરસોત્તમભાઈને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને અકસ્માત સર્જાયા બાદ સ્કોર્પિયો કાર પણ રસ્તા ઉપર પલટી મારી ગઈ હતી જેથી કરીને તે કારના ચાલક અને તેમાં બેઠેલા અન્ય ત્રણ વ્યક્તિ આમ કુલ મળીને ચાર વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થઈ હતી જોકે, અકસ્માત સર્જાયા બાદ તે ચારેય વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયા હતા. હાલમાં મૃતકના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News