મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

ટંકારામાં સગાઈના પ્રસંગમાં આવી રહેલ બે વ્યક્તિના બાઇકને કાર ચાલકે બંગાવડી પાસે હડફેટે લેતા બંનેના મોત


SHARE













ટંકારામાં સગાઈના પ્રસંગમાં આવી રહેલ બે વ્યક્તિના બાઇકને કાર ચાલકે બંગાવડી પાસે હડફેટે લેતા બંનેના મોત

ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલ રામદેવ હોટલથી થોડી આગળના ભાગમાં સ્કોર્પિયો કારના ચાલકે ડબલ સવારી બાઇકને લીધું હતું અને જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બાઈક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિઓના મોત નીપજયાં હતા આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અકસ્માત સર્જીને નાશી ગયેલા કાર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના રહેવાસી સુરેશભાઈ નાગજીભાઈ પરમાર જાતે અનુ.જાતી (૩૦)એ હાલમાં સ્કોર્પિયો કાર નંબર જીજે ૩૬ એસી ૨૩૬૦ ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ભાદરકા ગામેથી તેના પિતા નાગજીભાઈ ટપુભાઈ પરમાર (૪૭) અને તેના કૌટુંબિક ભાઈ પરસોતમભાઈ ઉગાભાઇ પરમાર (૩૭) ટંકારા ખાતે તેઓના સગાને ત્યાં સગાઈના પ્રસંગમાં હાજરી આપવા માટે થઈને આવી રહ્યા હતા ત્યારે ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલ રામદેવ હોટલ નજીક સ્કોર્પિયો કારના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતના બનાવ બન્યો હતો અને અકસ્માતમાં બનાવમાં ફરિયાદીના પિતા નાગજીભાઈ અને કૌટુંબી ભાઈ પરસોત્તમભાઈને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને અકસ્માત સર્જાયા બાદ સ્કોર્પિયો કાર પણ રસ્તા ઉપર પલટી મારી ગઈ હતી જેથી કરીને તે કારના ચાલક અને તેમાં બેઠેલા અન્ય ત્રણ વ્યક્તિ આમ કુલ મળીને ચાર વ્યક્તિઓને નાના મોટી ઈજાઓ થઈ હતી જોકે, અકસ્માત સર્જાયા બાદ તે ચારેય વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયા હતા. હાલમાં મૃતકના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સ્કોર્પિયો કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે








Latest News