વાંકાનેરમા ટ્રક ચાલકની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા
SHARE
વાંકાનેરમા ટ્રક ચાલકની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા
વર્ષ ૨૦૨૦ માં વાંકાનેરમાં મૂળ ઈન્દોરના રહેવાસી ટ્રક ચાલકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને લોખંડનો પાઇપ મારીને હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને ૧૦ હજારનો દંડ કર્યો છે
મૂળ ઇન્દોરના રહેવાસી સંતોષ ઉર્ફે સંજય રતનસિંહ બામણિયા વાંકાનેર ખાતે ટ્રક ચલાવતો હતો અને આરોપી હારુન સુભરાતીસા મહમદશા દીવાન સાથે ફોનમાં ઝઘડો થયો હતો અને આરોપીએ સંતોષ ઉર્ફે સંજયને જાતિ પ્રત્યે અપમાનિત કરીને લોખંડનો પાઇપ મારીને તેની હત્યા કરી હતી. જે કેસ સ્પેશિયલ જજ એટ્રોસીટી કોર્ટ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ૨૩ મૌખિક અને ૩૧ દસ્તાવેજી પુરાવા ધ્યાને લેવામાં આવ્યા હતા અને આરોપી હારુન સુભરાતીસા મહમદશા દીવાનને આજીવન કેદની સજા અને ૧૦ હજારનો દંડ કર્યો છે આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવે રોકાયેલ હતા.