મોરબીના પરશુરામ ધામ ખાતે એક દિવસીય આધ્યાત્મિક વિકાસ શિબિર યોજાઇ
મોરબી જિલ્લાના શિક્ષકોના ૨૫ જેટલા પ્રશ્નો આણંદ ખાતે મહાસંઘની રાજ્ય કારોબારીમાં રજૂ કરાયા
SHARE
મોરબી જિલ્લાના શિક્ષકોના ૨૫ જેટલા પ્રશ્નો આણંદ ખાતે મહાસંઘની રાજ્ય કારોબારીમાં રજૂ કરાયા
તાજેતરમાં આણંદ ખાતે મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક મળી હતી જેમાં મોરબી જિલ્લાના શિક્ષકોના ૨૫ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને તમામ શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, પગાર PRAISA ના બદલે SAS માં જ ચાલુ રાખવો, પગાર ગાંધીનગરથી જ સીધો ઓનલાઈન કરવામાં આવે, બી.એલ.ઓ. જેવી બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે, ઓનલાઈન કામગીરી ઓછી કરવામાં આવે, દિવ્યાંગ તેમજ અસાધ્ય બીમારી ધરાવતા શિક્ષકોને આચાર્યના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પસંદગીના નોર્મસમાં સુધારો કરવામાં આવેલ, ડીઝીટલ ગુજરાતમાં શિષ્યવૃતિની દરખાસ્ત કર્યા પછી ઘણા બધા બાળકોની શિષ્યવૃતિ બેંકમાં જમા નથી થતી અને બેંક તરફથી કંઈ જવાબ પણ નથી આવતો અને વાલીઓ વારંવાર શિષ્યવૃતિ બાબતે આચાર્યો પાસે પૂછપરછ કરવા આવે છે, એકમ કસોટીઓનું ભારણ ઓછું કરવું અને બધા જ વિષયનો સરખો વેટેજ રાખવો તેમજ પુન: કસોટી રદ કરવી, N.M.M.S ની પરીક્ષા સરકારી શાળામાં ભણતા સરકારી કર્મચારીના બાળકો આપી શકે ત સહિતના જુદાજુદા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને આ પ્રશ્નો ઉકેલવા માટે ભારપૂર્વક રજુઆત પ્રવિણભાઇ ધોળુ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મહાસંઘ મોરબી દ્વારા કરવામાં આવી હતી.