મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોના ૨૫ જેટલા પ્રશ્નો આણંદ ખાતે મહાસંઘની રાજ્ય કારોબારીમાં રજૂ કરાયા


SHARE







મોરબી જિલ્લાના શિક્ષકોના ૨૫ જેટલા પ્રશ્નો આણંદ ખાતે મહાસંઘની રાજ્ય કારોબારીમાં રજૂ કરાયા

તાજેતરમાં આણંદ ખાતે મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક મળી હતી જેમાં મોરબી જિલ્લાના શિક્ષકોના ૨૫ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને તમામ શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવેપગાર PRAISA ના બદલે SAS માં જ ચાલુ રાખવોપગાર ગાંધીનગરથી જ સીધો ઓનલાઈન કરવામાં આવેબી.એલ.ઓ. જેવી બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવેઓનલાઈન કામગીરી ઓછી કરવામાં આવેદિવ્યાંગ તેમજ અસાધ્ય બીમારી ધરાવતા શિક્ષકોને આચાર્યના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવેશ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પસંદગીના નોર્મસમાં સુધારો કરવામાં આવેલડીઝીટલ ગુજરાતમાં શિષ્યવૃતિની દરખાસ્ત કર્યા પછી ઘણા બધા બાળકોની શિષ્યવૃતિ બેંકમાં જમા નથી થતી અને બેંક તરફથી કંઈ જવાબ પણ નથી આવતો અને વાલીઓ વારંવાર શિષ્યવૃતિ બાબતે આચાર્યો પાસે પૂછપરછ કરવા આવે છે, એકમ કસોટીઓનું ભારણ ઓછું કરવું અને બધા જ વિષયનો સરખો વેટેજ રાખવો તેમજ પુન: કસોટી રદ કરવી, N.M.M.S ની પરીક્ષા સરકારી શાળામાં ભણતા સરકારી કર્મચારીના બાળકો આપી શકે ત સહિતના જુદાજુદા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને આ પ્રશ્નો ઉકેલવા માટે ભારપૂર્વક રજુઆત પ્રવિણભાઇ ધોળુ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મહાસંઘ મોરબી દ્વારા કરવામાં આવી હતી.






Latest News