મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો અને શહેર કોંગ્રેસ પ્રમુખે નવા ચીફ ઓફિસરની કરી શુભેચ્છા મુલાકાત મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના લાલપર ગામના યુવાન તથા નાના દહિંસરા ગામના આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબીના ઘુનડા રોડ ઉપર યુવાનને આંતરીને ત્રણ લોકોએ છરીના ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વેલેન્ટાઈન ડે નહીં વાત્સલ્ય દિવસ ઉજવાયો: મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કરી વૈભવી કારમાં જોય રાઈડ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું મોત


SHARE













મોરબીના બંધુનગર પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં પરપ્રાંતીય બીહારી યુવાનનું વાહન અકસ્માતમાં મોત થતા બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારનો અને હાલ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામે વેરોના સીરામીકમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો યુવાન સંતોષ કેદારભાઈ પાલ નામનો ૩૮ વર્ષીય યુવાન વેરોના સિરામિક નજીક હાઇવે રોડની પાસે હતો ત્યારે રોડ ઉપર તેને કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું મોત નિપજયુ હતું અને તેના ડેડબોડીને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.બાદમાં તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એ એમ.ઝાપડિયા દ્વારા આ બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ મૃતકની અંતિમવિધિ માટે તેના ડેડબોડીને તેના વતન બીહીરમાં લઈ જવામાં આવેલ હોય તેઓના પરિવારજનોના આવ્યા બાદ આ બાબતે આગળની ફરિયાદ નોંધાશે.

મારામારીમાં ઈજા થતા યુવાન-મહિલા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે હરિઓમ પાર્ક વિસ્તારમાં રહેતા યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હરિઓમ પાર્કમાં રહેતા સુરેશભાઈ રમેશભાઈ સીતાપરા નામના ૨૭ વર્ષના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જે અંગે તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપરના રવાપર (નદી) ગામે રહેતા અમૃતાબેન વિનોદભાઈ બોજિયા નામની ૨૯ વર્ષીય મહિલાને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી તેમ તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે અને આ બાબતે તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

યુવાન સારવારમાં

મૂળ પંજાબનો અને હાલ મોરબીના માળિયા હાઇવે ઉપર ભરતનગર ગામ પાસેની સોમનાથ હોટલ નજીક રહેતો તનવીરસિંગ સરવંતસિંગ નામનો ૨૨ વર્ષેનો યુવાન ૮-૧૦ જેટલી ઊંઘની ગોળીઓ એકી સાથે ખાઈ જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જે અંગે જાણ થતા તાલુકા પોલીસના એમ.એલ.બારૈયા દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.






Latest News