મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું મોત


SHARE







મોરબીના બંધુનગર પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં પરપ્રાંતીય બીહારી યુવાનનું વાહન અકસ્માતમાં મોત થતા બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારનો અને હાલ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામે વેરોના સીરામીકમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો યુવાન સંતોષ કેદારભાઈ પાલ નામનો ૩૮ વર્ષીય યુવાન વેરોના સિરામિક નજીક હાઇવે રોડની પાસે હતો ત્યારે રોડ ઉપર તેને કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું મોત નિપજયુ હતું અને તેના ડેડબોડીને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.બાદમાં તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એ એમ.ઝાપડિયા દ્વારા આ બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ મૃતકની અંતિમવિધિ માટે તેના ડેડબોડીને તેના વતન બીહીરમાં લઈ જવામાં આવેલ હોય તેઓના પરિવારજનોના આવ્યા બાદ આ બાબતે આગળની ફરિયાદ નોંધાશે.

મારામારીમાં ઈજા થતા યુવાન-મહિલા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામે હરિઓમ પાર્ક વિસ્તારમાં રહેતા યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હરિઓમ પાર્કમાં રહેતા સુરેશભાઈ રમેશભાઈ સીતાપરા નામના ૨૭ વર્ષના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જે અંગે તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપરના રવાપર (નદી) ગામે રહેતા અમૃતાબેન વિનોદભાઈ બોજિયા નામની ૨૯ વર્ષીય મહિલાને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી તેમ તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે અને આ બાબતે તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

યુવાન સારવારમાં

મૂળ પંજાબનો અને હાલ મોરબીના માળિયા હાઇવે ઉપર ભરતનગર ગામ પાસેની સોમનાથ હોટલ નજીક રહેતો તનવીરસિંગ સરવંતસિંગ નામનો ૨૨ વર્ષેનો યુવાન ૮-૧૦ જેટલી ઊંઘની ગોળીઓ એકી સાથે ખાઈ જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જે અંગે જાણ થતા તાલુકા પોલીસના એમ.એલ.બારૈયા દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.






Latest News