મોરબીમાં સતવારા સમાજના ભામાશાઓનું સન્માન કરાયું
SHARE
મોરબીમાં સતવારા સમાજના ભામાશાઓનું સન્માન કરાયું
મોરબીમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળ દ્વારા શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયાના પ્રમુખ સ્થાને જ્ઞાતિના ભામાશાઓનો સન્માન સમારંભ રાખવામા આવ્યો હતો જેમાં સતવારા જ્ઞાતિ સમાજ સમાજ સેવા મંડળનો અહેવાલ લખમણભાઇ કંઝારિયાએ આપતા જણાવ્યુ હતું કે, આ મંડળ ૫૬ વર્ષથી કાર્યરત છે આ મંડળ દ્વારા દર મહિનાની પહેલી તારીખે સમાજના આર્થિક રીતે નબળા લોકોને અનાજ વગેરેની કીટ આપવામાં આવે છે. જેનો ખર્ચ દર મહિને રૂપિયા ૮૦ હજાર ની આસપાસનો થાય છે
અત્યારે ૧૦૫ કુટુંબોને આ મંડળ સહાય કરે છે આ મંડળ હોળી, સાતમ, દશેરા, દિવાળી વગેરે તહેવારો વખતે દાતાઓ પાસેથી કીટ બનાવીને પણ નબળા પરિવારોને આપવામાં આવે છે આ ખર્ચને પહોંચી વળવા આજે મંડળની ૩૩ લાખ જેવી એફડી છે. તેમજ દર માસે -દર વર્ષે ફાળો આપતા દાતાઓ, અનાજના રૂપમાં ફાળો આપતા દાતાઓ, દરેક ધાર્મિક તહેવારોએ કીટનો ફાળો આપતા દાતાઓનું સન્માન દર વર્ષે કરવામાં આવે છે. તેવી જ રીતે વર્ષ ૨૦૨૨-૨૩ ના દાતાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે પ્રમુખ સ્થાનેથી ડો.લખમણભાઇ કંઝારિયાએ જણાવ્યું હતું કે, સમાજમાં જ્ઞાતિના અનેક મંડળો જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે આવકાર્ય છે. તે સમાજના ઉત્કર્ષ માટે કામ કરી રહ્યા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આ પ્રસંગમાં સતવારા જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ, ઉપપ્રમુખ રાઘવજીભાઈ કંઝારિયા,મંત્રી પ્રવીણભાઈ પરમાર સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન મહાદેવભાઈ ડાભીએ કરેલ હતું