મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણીયા ગામે રામબાઈ માં મંદિરે સ્નેહમિલન: ઘૂટું-હડમતીયા ગામે નાટકના આયોજન


SHARE













માળીયા (મી)ના વવાણીયા ગામે રામબાઈ માં મંદિરે સ્નેહમિલન: ઘૂટું-હડમતીયા ગામે નાટકના આયોજન

માળીયા મિયાણાંના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ માં મંદિરે નુતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું  છે તો મોરબીના ઘૂટું ગામે અને ટંકારાના હડમતીયા ગામે નાટકના આયોજનો કરવામાં આવેલ છે

વવાણીયા ગામ
માળીયા મિયાણાંના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ માં મંદિરે નુતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું  છે અને રામબાઈ માં મંદિર ખાતે તા ૧૪ ને મંગળવારે સવારે ૯ કલાકે નુતન વર્ષ સ્નેહમિલન, અન્નકૂટ દર્શન અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન દર વર્ષની જેમ કરાયું છે. જેથી જ્ઞાતિજનોને તેમાં હાજર રહેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે આ આયોજનમાં ધીરુભાઈ હરિભાઈ રાઠોડ (રાજકોટ), કિશોરભાઈ તથા અશોકભાઈ ઉગાભાઇ ડાંગર (રાજકોટ), ગોવિંદભાઈ રામભાઈ હુંબલ (પરાપીપળીયા) તથા લાભુભાઈ પ્રભાતભાઈ હુંબલ (પરાપીપળીયા) વગેરે અન્નકૂટ મહોત્સવના મુખ્ય સહયોગીઓ છે.

ઘુંટુ (હરીનગર) ગામ
ઘુંટુ (હરીનગર) ગામે ઘુંટુની બાપા સિતારામ ગૌશાળાના લાભાર્થે નાટક અને કોમિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે આરડીસી બેંકની બાજુમાં તા ૧૦ ને શુક્રવારે રાત્રે ૯:૩૦ કલાકે બજરંગ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “સમ્રાટ હર્ષ” નાટક અને સાથે પેટ પકડીને હસાવવા માટે “બુધ્ધીચટ” નાટક રજુ કરવામાં આવશે. જેનો લોકોએ લાભ લેવા માટે અને ગૌસેવાના કામમાં સહયોગ આપવા માટે આયોજકોએ આપીલ કરેલ છે

હડમતીયા ગામ
ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે સાંસ્કૃતિક યુવક મંડળ દ્વારા નાટક "વીર માંગડાવાળો યાને કે ભુત રુવે ભેંકાર"  સાથે હારયનું વાવાઝોડું "કોકમની કઠણાઈ"નું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૦ ને શુક્રવારે રાત્રે ૯-૩૦ કલાકે હડમતીયા ગામે ગાયોનાં ગોંદરે નાટક રાખવામા આવેલ છે તેમાં આવવા માટે ગામના લોકો તેમજ આસપાસના લોકોને  હડમતીયા સાંસ્કૃતિક યુવક મંડળ તથા ગામ સમસ્ત દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News