માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણીયા ગામે રામબાઈ માં મંદિરે સ્નેહમિલન: ઘૂટું-હડમતીયા ગામે નાટકના આયોજન


SHARE













માળીયા (મી)ના વવાણીયા ગામે રામબાઈ માં મંદિરે સ્નેહમિલન: ઘૂટું-હડમતીયા ગામે નાટકના આયોજન

માળીયા મિયાણાંના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ માં મંદિરે નુતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું  છે તો મોરબીના ઘૂટું ગામે અને ટંકારાના હડમતીયા ગામે નાટકના આયોજનો કરવામાં આવેલ છે

વવાણીયા ગામ
માળીયા મિયાણાંના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ માં મંદિરે નુતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું  છે અને રામબાઈ માં મંદિર ખાતે તા ૧૪ ને મંગળવારે સવારે ૯ કલાકે નુતન વર્ષ સ્નેહમિલન, અન્નકૂટ દર્શન અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન દર વર્ષની જેમ કરાયું છે. જેથી જ્ઞાતિજનોને તેમાં હાજર રહેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે આ આયોજનમાં ધીરુભાઈ હરિભાઈ રાઠોડ (રાજકોટ), કિશોરભાઈ તથા અશોકભાઈ ઉગાભાઇ ડાંગર (રાજકોટ), ગોવિંદભાઈ રામભાઈ હુંબલ (પરાપીપળીયા) તથા લાભુભાઈ પ્રભાતભાઈ હુંબલ (પરાપીપળીયા) વગેરે અન્નકૂટ મહોત્સવના મુખ્ય સહયોગીઓ છે.

ઘુંટુ (હરીનગર) ગામ
ઘુંટુ (હરીનગર) ગામે ઘુંટુની બાપા સિતારામ ગૌશાળાના લાભાર્થે નાટક અને કોમિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે આરડીસી બેંકની બાજુમાં તા ૧૦ ને શુક્રવારે રાત્રે ૯:૩૦ કલાકે બજરંગ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “સમ્રાટ હર્ષ” નાટક અને સાથે પેટ પકડીને હસાવવા માટે “બુધ્ધીચટ” નાટક રજુ કરવામાં આવશે. જેનો લોકોએ લાભ લેવા માટે અને ગૌસેવાના કામમાં સહયોગ આપવા માટે આયોજકોએ આપીલ કરેલ છે

હડમતીયા ગામ
ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે સાંસ્કૃતિક યુવક મંડળ દ્વારા નાટક "વીર માંગડાવાળો યાને કે ભુત રુવે ભેંકાર"  સાથે હારયનું વાવાઝોડું "કોકમની કઠણાઈ"નું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૦ ને શુક્રવારે રાત્રે ૯-૩૦ કલાકે હડમતીયા ગામે ગાયોનાં ગોંદરે નાટક રાખવામા આવેલ છે તેમાં આવવા માટે ગામના લોકો તેમજ આસપાસના લોકોને  હડમતીયા સાંસ્કૃતિક યુવક મંડળ તથા ગામ સમસ્ત દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News