મોરબીના જલારામ મંદિરે જલારામ બાપાની ૨૨૪ મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે
મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું મીની વેકેશન જાહેર કરાયું
SHARE
મોરબી માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનું મીની વેકેશન જાહેર કરાયું
આગામી દિવાળીના પર્વને ધ્યાને રાખીને મોરબીના શનાળા રોડે આવેલ માર્કેટ યાર્ડમાં અનાજ વિભાગમાં તા. ૧૧ થી ૧૭ સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને લાભ પાંચમના દિવસથી મોરબીનું યાર્ડ ફરી શરૂ કરવામાં આવશે
મોરબી માર્કેટ યાર્ડ દ્વારા વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તેની માહિતી આપતા જણાવ્યુ છે કે, તા. ૧૦ ને શુક્રવારે સવારે ૯ કલાક સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે ત્યાર બાદ તા. ૧૧ થી ૧૬ સુધી યાર્ડમાં વેકેશન રહેશે જેથી કરીને કોઈપણ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહિ તા. ૧૭ ને શુક્રવારે સવારે ૯ કલાકથી જણસીની ઉતરાઈ શરૂ કરવામાં આવશે અને લાભ પાંચમને તા. ૧૮ ના રોજથી દરેક જણસીની રાબેતા મુજબ હરરાજી શરૂ કરવામાં આવશે જેની ખેડૂતો, વેપારીઓ અને એજન્ટ ભાઈઓએ નોંધ લેવા યાર્ડના અધિકારી જણાવ્યુ છે









