મોરબી જિલ્લાના જુદાજુદા ૨૮ સ્થળોએથી ફરસાણ-મીઠાઈના ૩૮ સેમ્પલ લીધા
મોરબીનાં ઘુંટુ ગામે ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન
SHARE
મોરબીનાં ઘુંટુ ગામે ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન
મોરબી નજીકના ઘુંટુ ગામે પિતૃઓના મોક્ષાર્થે અને સ્વ. નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણીની સ્મૃતિમાં ધોરીયાણી પરીવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા આયોજકોએ અનુરોધ કરેલ છે
મોરબી નજીકના ઘુંટુ ગામે હરીનગરમાં પિતૃઓના મોક્ષાર્થે અને સ્વ. નરભેરામભાઈ મોહનભાઈ ધોરીયાણીની સ્મૃતિમાં તા.૧૪ થી ૨૦ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ રાત્રે ૮ થી ૧૨ સુધી ભાગવત કથાનું વાંચન કરવામાં આવશે અને વક્તા તરીકે રામેશ્વરબાપુ હરીયાણી તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. આ સપ્તાહમાં રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો ધામધુમથી ઉજવાશે અને કથામાં ખાસ કરીને સંતો મહંતો આશીર્વચન આપવા આવવાના છે ત્યારે કથાનું રસપાન કરવા માટે ઘૂટું ગામના લોકો તેમજ ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે









