મોરબીના લક્ષ્મીનગર ગામે બગીચામાં પાર્ક કરેલા સ્કૂટરની ડેકીમાંથી ૯૯ હજારની ચોરી: આરોપીની ધરપકડ
મોરબીના ભુનેશ્વરી પાર્કમાં શોર્ટ સર્કિટથી ઘરમાં લાગી આગ: દુકાનદારોને ફાયરના સાધનો રાખવા અપીલ
SHARE
મોરબીના ભુનેશ્વરી પાર્કમાં શોર્ટ સર્કિટથી ઘરમાં લાગી આગ: દુકાનદારોને ફાયરના સાધનો રાખવા અપીલ
મોરબી પાલિકાના ફાયર કંટ્રોલરૂમમાં ગાઈકલે બપોરે સામાકાંઠે જિલ્લા સેવાસદનની બાજુમાં આવેલ ભુનેશ્વરી પાર્કમાં રહેતા કપિલભાઈ ગીરીશભાઈ જોશીના ઘરમાં આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો જેથી ફાયરની ટિમ ત્યાં દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટેનું કામ કરવામાં આવ્યું હતું જો કે, ઘરમાં શોર્ટ સર્કિટના કારણ આગ લાગી હોવાનું સામે આવ્યું હતું અને આગ લાગવાના લીધે ઘરમાં રાખવામા આવેલ મંદિર અને ઘર વખરી બળી ગઈ હતી જો કે, કોઈ જાનહાની કે કોઈને ઇજા પણ થયેલ નથી વધુમાં મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ તરફથી મોરબીના જનતા અને ખાસ નાનામોટી દુકાનદારોને અથવા બિલ્ડીંગ માલિકને કહેવામા આવ્યું છે કે, લોકો અને પ્રોપર્ટીની સેફટી માટે ફાયરની સિસ્ટમ અથવા નાની દુકાન હોય ત્યાં ફાયર એક્સ્ટિગ્યુશર (ફાયર બોટલ) વસાવો તે જરૂરી છે અને ફાયર ટ્રેનિંગની જરૂર હોય તો સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, લીડિંગ ફાયરમેન જયેશ ડાકીનો સંપર્ક કરવામાં આવશે તો ફાયરની તાલીમ પણ આપવામાં આવશે