ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં દિવ્યાંગ પારિતોષિકો મેળવવા  ૩૦ મી સુધી અરજી કરી શકાશે


SHARE













મોરબી જિલ્લામાં દિવ્યાંગ પારિતોષિકો મેળવવા  ૩૦ મી સુધી અરજી કરી શકાશે

દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વર્ષ-૨૦૨૩ નાં રાજ્યકક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના  દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે જુદી જુદી કેટેગરીમાં રોજગાર વિભાગ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ, દિવ્યાંગોને નોંકરી પર રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યકિતઓને આત્મનિર્ભર કરવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ આ અરજી કરી શકશે.

દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમુનો www.talimrojagar.gujarat.gov.in પરથી અથવા રોજગાર વિનિમય કચેરી, મોરબી ખાતેથી  વિનામૂલ્યે મળી શકશે. રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષક માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે. જરૂરી દસ્તાવેજો  સાથે બે નકલમાં રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન રૂમ નં.૨૧૪ બીજો માળ, સો-ઓરડી વિસ્તાર મોરબી ખાતે તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવા. અધૂરી વિગત વાળી કે નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં તેમ મોરબી રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News