મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાંધી જયંતિ નિમિત્તે દુર્લભ ફૂલછોડનું રાહત દરે વેચાણ કરાયું


SHARE







વાંકાનેરમાં ગાંધી જયંતિ નિમિત્તે દુર્લભ ફૂલછોડનું રાહત દરે વેચાણ કરાયું

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાંધીજયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રી જયંતિ તથા વન્ય સપ્તાહને અનુલક્ષીને દુર્લભ મનાતા ફૂલ છોડનું પર્યાવરણ પ્રેમીઓ દ્વારા રાહત દરે વેચાણ કરવામાં આવતાં ખરીદી કરવા લોકો ઉમટયા હતાં.


ગાયત્રી શક્તિપીઠ ખાતે રવિવારે દુર્લભ પ્રજાતિનાં રોપા તથા ઓર્ગેનિક ચીજ વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવામાં આવ્યું હતું, ગુલાબ, લીંબુ, ગલગોટા, રાતરાણી, જાસુદ, મોગરો,મધુનાશી, મરી, નાગરવેલ, એલોવેરા જેલ સહિત અનેક વિધ ઓર્ગેનિક ચીજ વસ્તુઓનું પણ રાહત દરે વેચાણ કરવામાં આવતાં ખરીદી કરવા લોકો ઉમટયા હતાં, ગાયત્રી શક્તિપીઠનાં સંચાલક અશ્વિનભાઈ રાવલ તથા પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતાં.






Latest News