મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયતમાં ૩૦ મીએ કારોબારી સમિતિની બેઠક મળશે


SHARE







ટંકારા તાલુકા પંચાયતમાં ૩૦ મીએ કારોબારી સમિતિની બેઠક મળશે

ટંકારા તાલુકા પંચાયતના ખુબ ચકચાર જગાવી શાશક પક્ષ તરીકે રહેલ ભાજપના નેતાઓ નારાજગી વ્યક્ત કરી કારોબારી સમિતિની અઠી વર્ષની મુદત પૂરી થતાં નવી સમીતીની રચના વખતે મેન્ડેટ મુજબની રચના કરવાને બદલે બાગી સભ્યો દ્વારા નવી કમિટી બનાવી રીતસરની જીત મેળવી ગુજરાતના રાજકારણમાં ચકચાર જગાવી હતી.

જોકે આલા કમાન્ડના નેતા રાતોરાત આ મામલે ટાઢું પાડવા ટંકારા દોડી આવ્યા હોય ધીના ઠામમાં ઘી પડી ગયું હતું અને ચુંટાયેલી કમીટીએ રાજીનામું આપી નવી કમિટી બનાવી હતી પરંતુ આ કમિટીના ચેરમેન તરીકે ચુટવા માટે એજન્ડા બહાર પાડવામાં ખુબ લાબો સમય રાહ જોઈ દુધના દાઝેલ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એવો ધાટ સર્જાયો હતો અને લાબો સમયથી કારોબારી બેઠક મળી ન હોય અનેક કામો પેન્ડીંગ પડ્યા છે. જે હવે આગામી ૩૦ નવેમ્બરે બપોરના ૧૨ વાગ્યે નવી સમીતી નવા અધ્યક્ષને ચુટી કાઢવામાં આવશે  જે બાદ કમિટી પેન્ડીંગ કામો તાકીદે યોગ્ય નિકાલ કરે એ જનહિત માટે જરૂરી છે.

શુ આ કમિટીના સભ્યો પણ અધ્યક્ષ ચુટવામા ખેલ કરી શકે છે?

ચર્ચાસ્પદ બનેલી ભાજપ શાસિત ટંકારા તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનની વરણીને લઈને ભારે ગરમાવો આવી ગયો હતો જે હજી પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે અને એવા સંજોગો જોઇ અધ્યક્ષ ચુટવા ની પ્રકિયા બહુ વિલંબ થયો છે અને હજુ પણ રાજકીય રીતે પંથકમાં કાઠું કાઢનાર ખેલ બગાડી શકે છે તેવી બિક સતાવતી હોય એવી વાતો આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળે છે. જોકે હવે કોઈ નારાજગી ન હોય એવી વાત ખુદ નારાજ સભ્યો પણ કરી રહ્યા છે.






Latest News