મોરબીના લક્ષ્મીનગર ગામે માજી મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના લક્ષ્મીનગર ગામે માજી મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના હેતુસર શરૂ થયેલ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નુ ગામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું આ કાર્યક્રમમા વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું લાભાર્થીઓને વિતરણ કર્યુ તેમજ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો તથા આ કાર્યક્રમમાં માજી મંત્રી બ્રીજેશભાઇ મેરજા તેમજ જીલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ, તાલુકા પંચાયત સભ્ય હર્ષદભાઇ, તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર, તાલુકા શિક્ષણ અધિકારી ગરચરભાઇ , મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ હંસરાજભાઇ પાંચોટીયા, ગામના સરપંચ બાલક્રુષ્ણભાઇ, વિઠ્ઠલભાઇ, લવજીભાઇ ભંખોડીયા, દુર્લભજીભાઇ સિતાપરાએ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા. ત્યારે સરપંચ, તલાટી મંત્રી, અધિકારીઓ તેમજ ગ્રામ્યજનો ઉપસ્થિતીમા ખેતરમાં ખેડુતોની રૂબરૂ ડ્રોનથી દવા છંટકાવ માટે નિદર્શન કરાયુ તેમજ ડ્રોનથી દવા છંટકાવના લાભો જણાવ્યા હતા.