મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

ટંકારાના ઉકેડા ગામે રહેતા યુવાનને સેઢાની તકરાર બે શખ્સોએ પત્થર વડે માર માર્યો


SHARE













ટંકારાના ઉકેડા ગામે રહેતા યુવાનને સેઢાની તકરાર બે શખ્સોએ પત્થર વડે માર માર્યો

ટંકારા તાલુકાના ઉકેડા ગામે રહેતા યુવાનને સેઢાની તકરાર બાબતે બોલાચાલી કરીને બાજુમાં ખેતર ધરાવતા બે શખ્સો દ્વારા પથ્થરો મારીને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઉકેડા ગામે રહેતા પરેશભાઈ રણછોડભાઈ છીપરીયા જાતે કોળી (૩૮) ને મનસુખભાઈ અને હીરાભાઈ નામના બે વ્યક્તિઓ દ્વારા પથ્થરથી મારીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા પરેશભાઈ છીપરીયાને સારવાર માટે પ્રથમ પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ઝાલાના મેઘપર ગામે પરેશભાઈ પોતાની વાડીએ હતા ત્યારે તેઓની બાજુમાં વાડી ધરાવતા મનસુખભાઈ અને હીરાભાઈએ સેઢાની યકરાર બાબતે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ પથ્થર વડે તેને માર માર્યો હતો જેથી ઈજા પામેલા પરેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતો આદિલ ફારુકભાઈ માલકીયા (૨૨) નામનો યુવાન મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ આયુષ હોસ્પિટલ પાસે હતો ત્યારે ત્યાં કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળ વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા રવિ મગનભાઈ રાઠોડ (૨૮) નામના યુવાનને અજય, મિલન અને અક્ષય નામના ત્રણ વ્યક્તિઓ દ્વારા પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે. બનાવ મોરબી તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે








Latest News