મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં દુકાનમાંથી ગેસના ત્રણ બાટલા સહિત ૧૨,૧૦૦ ના મુદામાલની ચોરી
મોરબીમાં શાંતિવન આશ્રમે કેશવાનંદબાપુની ૨૪ મી પુણ્યતિથિએ સંતવાણી-મહાપ્રસાદનું આયોજન
SHARE
મોરબીમાં શાંતિવન આશ્રમે કેશવાનંદબાપુની ૨૪ મી પુણ્યતિથિએ સંતવાણી-મહાપ્રસાદનું આયોજન
મોરબીના વીસીપરામાં આવેલ શાંતિવન આશ્રમે સદગુરુ કેશવાનંદબાપુની ૨૪ મી પુણ્યતિથિએ સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને આ ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે
મોરબીના વીસીપરામાં ધોળેશ્વર રોડ પર આવેલા શાંતિવન આશ્રમ ખાતે અનંત વિભૂષિત સદગુરુ કેશવાનંદ બાપુની ૨૪ મી પુણ્યતિથિ નિમિતે કલ્યાણનંદ (ગુરુદેવ શ્રી કેશવાનંદ બાપુ) ના સાનિધ્યમાં તા ૨૬/૧૨ ને મંગળવારે સંતવાણી, ગુરુયાગ યજ્ઞ, સત્યનારાયણ કથા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુરુયાગ યજ્ઞ સવારે ૭ વાગ્યે, બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ, સાંજે સત્યનારાયણ કથા અને રાત્રે ૧૦ વાગ્યે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે અને સંતવાણીના કાર્યક્રમમાં શૈલેષભાઈ રાવલ, લલિતાબેન ઘોડાદ્રા, કિશોરભાઈ વાઘેલા, પીયૂષભાઈ મિસ્ત્રી સહિતના કલાકારો જમાવટ કરશે જેથી કરીને મોરબી પંથકની ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે કલ્યાણનંદ (ગુરુદેવ કેશવાનંદબાપુ)એ જાહેર નિમંત્રણ આપેલ છે