મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

મોરબીમાં શાંતિવન આશ્રમે કેશવાનંદબાપુની ૨૪ મી પુણ્યતિથિએ સંતવાણી-મહાપ્રસાદનું આયોજન


SHARE













મોરબીમાં શાંતિવન આશ્રમે કેશવાનંદબાપુની ૨૪ મી પુણ્યતિથિએ સંતવાણી-મહાપ્રસાદનું આયોજન

મોરબીના વીસીપરામાં આવેલ શાંતિવન આશ્રમે સદગુરુ કેશવાનંદબાપુની ૨૪ મી પુણ્યતિથિએ સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને આ ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે

મોરબીના વીસીપરામાં ધોળેશ્વર રોડ પર આવેલા શાંતિવન આશ્રમ ખાતે અનંત વિભૂષિત સદગુરુ કેશવાનંદ બાપુની ૨૪ મી પુણ્યતિથિ નિમિતે કલ્યાણનંદ (ગુરુદેવ શ્રી કેશવાનંદ બાપુ) ના સાનિધ્યમાં તા ૨૬/૧૨ ને મંગળવારે સંતવાણીગુરુયાગ યજ્ઞસત્યનારાયણ કથા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુરુયાગ યજ્ઞ સવારે ૭ વાગ્યે, બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ, સાંજે સત્યનારાયણ કથા અને રાત્રે ૧૦ વાગ્યે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે અને સંતવાણીના કાર્યક્રમમાં શૈલેષભાઈ રાવલલલિતાબેન ઘોડાદ્રાકિશોરભાઈ વાઘેલાપીયૂષભાઈ મિસ્ત્રી સહિતના કલાકારો જમાવટ કરશે જેથી કરીને મોરબી પંથકની ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે કલ્યાણનંદ (ગુરુદેવ કેશવાનંદબાપુ)એ જાહેર નિમંત્રણ આપેલ છે






Latest News