મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગેરંટી ૨૪ કેરેટ સોના જેવી શુદ્ધ: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી


SHARE













વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગેરંટી ૨૪ કેરેટ સોના જેવી શુદ્ધ: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫ મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ'થી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મોરબીના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે મહાનુભાવોની  પ્રેરક ઉપસ્થિતિમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ રથ દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના દેશના દરેક ખૂણે પહોંચાડી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનની ગેરંટી ૨૪ કેરેટ સોના જેવી શુદ્ધ છે. ખુબ જ ઉપયોગી યોજનાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહી છે. સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મિશન મંગલમ્ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના સ્ટોલ ઉપર નાગરિકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. તેમજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે વાલાસણ ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ODF plus હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અંગે માર્ગદર્શિત કરતું 'ધરતી કહે પુકાર કે' અને 'વસુધૈવ કુટુમ્બકમ' નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોએ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી. આ તકે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, સરપંચ બસિરભાઈ કડીવાર, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણી સર્વશ્રી યુસુફભાઈ શેરસિયા, રમેશભાઈ વોરા, મજીદભાઈ કડિવાર સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News