મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં પંચાસર રોડે બિલ્ડિંગમાં સેંટિંગના કામ દરમ્યાન પડેલ લોખંડનો સળીયો માથામાં લગતા તરૂણનું મોત


SHARE













મોરબીમાં પંચાસર રોડે બિલ્ડિંગમાં સેંટિંગના કામ દરમ્યાન પડેલ લોખંડનો સળીયો માથામાં લગતા તરૂણનું મોત

મોરબીમાં પંચાસર રોડ નાની કેનાલ પાસે સનરાઈઝ પાર્કમાં પવનસુખ પેલેસ ખાતે ત્રીજા માળે બિલ્ડિંગમાં સેંટિંગનું કામકાજ ચાલુ હતું ત્યારે ઉપરથી લોખંડનો સળીયો નીચે પડતા તરુણના માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ સનરાઈઝ પાર્ક પવન સુખ પેલેસ ખાતે ત્રણ માળના બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે દરમિયાન ઉપરથી લોખંડનો સળીયો અકસ્માતે નીચે પડ્યો હતો ત્યારે આરીફભાઈ શકુરભાઈ સંઘવાણી જાતે મિયાણા (૧૫) રહે. માળિયા મીયાણા વાળાના માથાના ભાગે તે સળિયો વાગી ગયો હતો જેથી કરીને તરુણને ઇજા થઈ હતી અને તેને સારવારના ખસેડાયો હતો જો કે સારવાર દરમિયાન તરુણનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના પિતા શકુરભાઈ જશાભાઇ સંઘવાણી જાતે મિયાણા (૪૦) રહે. માળીયા મીયાણા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે જેથી તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક બાળકના મોટાબાપુ બનાવ સ્થળે સેંટિંગનું કામ કરતાં હતા જેથી બાળક તેની સાથે આવ્યો હતો અને ત્યારે તેના માથા ઉપર સળિયો પડતાં આ અકસ્માત મૃત્યુની ઘટના બનેલ છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે વાડી વિસ્તારમાં રહેતા રવિશંકર રાઠવા (૨૦) નામના યુવાનને રાત્રિના સમયે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે








Latest News