મોરબી વરિયા મંદિરે ગુરુશ્રી વિરદાસબાપુની ૧૯ મી પુણ્યતિથિ ઉજવાશે
મોરબીની નવજીવન વિદ્યાલય ખાતે બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન, ચંદ્રયાન આકર્ષનું કેન્દ્ર
SHARE
મોરબીની નવજીવન વિદ્યાલય ખાતે બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન, ચંદ્રયાન આકર્ષનું કેન્દ્ર
મોરબી શહેરના રવાપર રોડ ખાતે આવેલી નવજીવન વિદ્યાલયમાં તા.૨૪ અને ૨૫ ના રોજ “સાયન્સ ટેક એકસ્પો-૨૦૨૩” નામક બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડી.બી. પાડલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં રોબોટિક, ગાણિતિક, ટેકનિકલ, સાંસ્કૃતિક તથા વિજ્ઞાનને લગતા ૬૦ જેટલા પ્રોજેકટ રજુ કરવામાં આવ્યા છે. જેમાં રર ફૂટ ઊંચા ચંદ્રયાન-૩ની કલાકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે. બાળકોએ તેમની સૂજબૂજ તથા શાળાના સ્ટાફની મદદથી ચંદ્રયાન-૩નો બેનમૂન પ્રોજેકટ બનાવ્યો છે. આ વિજ્ઞાનમેળામાં તા.૨૪ના રોજ મોટી સંખ્યામાં મોરબી વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફની મહેનતને બિરદાવી હતી. અને આજે પણ પ્રદર્શનને નિહાળવા મોરબીવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.