મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીની નવજીવન વિદ્યાલય ખાતે બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન, ચંદ્રયાન આકર્ષનું કેન્દ્ર


SHARE







મોરબીની નવજીવન વિદ્યાલય ખાતે બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન, ચંદ્રયાન આકર્ષનું કેન્દ્ર

મોરબી શહેરના રવાપર રોડ ખાતે આવેલી નવજીવન વિદ્યાલયમાં તા.૨૪ અને ૨૫ ના રોજ “સાયન્સ ટેક એકસ્પો-૨૦૨૩” નામક બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડી.બી. પાડલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં રોબોટિક, ગાણિતિક, ટેકનિકલ, સાંસ્કૃતિક તથા વિજ્ઞાનને લગતા ૬૦ જેટલા પ્રોજેકટ રજુ કરવામાં આવ્યા છે. જેમાં રર ફૂટ ઊંચા ચંદ્રયાન-૩ની કલાકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની છે. બાળકોએ તેમની સૂજબૂજ તથા શાળાના સ્ટાફની મદદથી ચંદ્રયાન-૩નો બેનમૂન પ્રોજેકટ બનાવ્યો છે. આ વિજ્ઞાનમેળામાં તા.૨૪ના રોજ મોટી સંખ્યામાં મોરબી વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફની મહેનતને બિરદાવી હતી. અને આજે પણ પ્રદર્શનને નિહાળવા મોરબીવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.






Latest News