વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નંબર ૧૩ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ


SHARE







મોરબીના વોર્ડ નંબર ૧૩ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ

મોરબી પાલીકાના પૂર્વ કાઉન્સિલર અને વોર્ડ નંબર ૧૩ ના રહેવાસી જશવંતીબેન પી.સોનગ્રા દ્વારા કલેકટરને પત્ર લખીને તેઓના વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

વધુમાં તેઓએ જણાવેલ કે ધણા સમય પહેલા અહીંયા કબીર ટેકરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન હતી પણ દુકાનદારે રાજીનામુ આપેલ ત્યારબાદ અહીંયા આજદીન સુધી નવી દુકાન ખોલવામાં આવેલ નથી જેથી રાશનકાર્ડ ધારકાને વજેપર તથા કાલીકા પ્લોટ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને લેવા જવુ પડે છે.જેથી મોંઘાદાટ રીક્ષા ભાડા ખર્ચવા પડે છે.આ વિસ્તારમાં ગરીબ અને શ્રમજીવી પ્રજા રહે છે.જેને આવા રીક્ષા ભાડા પોસાય નહીં છતા ખર્ચ કરીને લેવા જવુ પડે છે.આ વિસ્તારમાં આશરે છ હજાર જેટલી વસ્તી છે. અગાઉ જે દુકાનદાર પાસે આશરે સાતસો જેટલા કાર્ડ હતા તે અન્ય દુકાનદારને તબદીલ કરી નાંખેલ છે.જેથી પ્રજાને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે અને ગરીબ માણસો સરકાર તરફથી મળતો અનાજનો જથ્થો સમયસર અને નજીકથી મેળવી શકે તે હેતુથી અહીંયા નિયમોનુસાર જાહેરનામુ બહારપાડી નવી દુકાન ચાલુ કરવામાં આવે તેવી લોકો વતી માંગ છે.વધુમાં કબીર ટેકરી તથા વાઘપરાના વિસ્તારની આશરે નવ હજાર જેટલી વસ્તી થાય છે.આ બાબતે અગાઉ તા.૨૧-૭-૨૨ ના રોજ રજુઆત કરેલ તેનો અમલ પણ આજદિન સુધી થયેલ નથી.તો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News