વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં નેકનામ ગામે નાની-મોટી ૨૦ જેટલી ચોરી, પોલીસની ઢીલી નીતિનો ગ્રામજનોનો આક્ષેપ


SHARE







ટંકારા તાલુકાનાં નેકનામ ગામે નાની-મોટી ૨૦ જેટલી ચોરી, પોલીસની ઢીલી નીતિનો ગ્રામજનોનો આક્ષેપ

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ચોરીની ઘટના બની રહી છે ત્યારે ટંકારા તાલુકાનાં નેકનામ ગામે છેલ્લા દોઢ માહિનામાં ચોરીની એક કે બે નહીં પણ ૨૦ જેટલી ઘટના બની હોવાનું ગામના લોકો કહી રહ્યા છે અને પોલીસની ઢીલીનીતિ હોવાની અણીદાર આક્ષેપ પણ કરેલ છે આટલું જ નહીં ટંકારા પોલીસ ક્રાઇમ રેટ નીચો બતાવવા માટે એફઆઈઆર લેવાના બદલે માત્ર અરજી લઈને તપાસ કરે છે તેવી પણ આક્ષેપ કરેલ છે

ટંકારાના નેકનામ ગામના મગનભાઈ પોપટભાઈ હરણીયા સહિતના ગામના લોકોએ મોરબી જિલ્લાના એસપીને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, છેલ્લા દોઢ થી બે મહિનામાં અંદાજે ૨૦ જેટલી નાની મોટી ચોરીની ઘટના બનેલ છે છતાં સમગ્ર ટંકારા પોલીસ હજુ સુધી કોઈને પકડી શકેલ ન આથી અને ક્રાઇમ રેટ નીચો બતાવવા માટે ફરિયાદ લેવાના બદલે માત્ર સાદા કાગળ ઉપર અરજી લઈને તપાસ કરે છે તેવું કહે છે અને કોઈ આરોપી પકડાતાં નથી અને આ ગામના ભોગ બનેલા લોકો ફરિયાદ નોંધવા વારંવાર ટંકારા પોલીસ સ્ટેશને જાય છે તો તેની ફરિયાદ લેવામાં આવતી નથી તેવો પણ આક્ષેપ કરેલ છે વધુમાં જણાવ્યુ હતું કે, હાલપરા પરિવાર બહુચર માતાજીનું મંદિર, જાદવ પરિવાર મંદિર, ચીકાણી પરિવાર બહુચર માતાજીનું મંદિર, પ્રભુભાઈ પોપટભાઈ હાલપરા, હરણીયા પરિવાર બ્રાહ્મણી માતાનું મંદિર, લુહાર જ્ઞાતિનું મંદિર, ધીરજલાલ લવજીભાઈ હાલપરા, ઝાલા પરિવાર ધાવડી માતાજીનું મંદિર, ગિરીશ રણછોડભાઈ વરસડા, હરેશ અવચરભાઈ નડિયાપરા, મગનભાઈ પોપટભાઈ હરણીયા, હરજીભાઈ મનજીભાઈ ચીકાણી, મેહુલ વસંતભાઈ બરાસરા સહિતના લોકોના ઘરે તેમજ મંદિરોમાં જુદાજુદા સમયે ચોરી કરવામાં આવેલ છે છતાં ટંકારા પોલીસે ફરિયાદ લીધેલ નથી ! જેથી ફરજમાં બેદરકાર અધિકારી અને કર્મચારીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News