મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

ટંકારા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઐતિહાસિક ઉજવણી કરાશે


SHARE













ટંકારા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઐતિહાસિક ઉજવણી કરાશે

ભગવાન શ્રીરામની જન્મ ભૂમિ અયોધ્યા મુકામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વિ.સ. ૨૦૮૦પોષ સુદ ૧૧।ને સોમવાર તા. ૨૨ ના રોજ થવાની છે ત્યારે સમસ્ત હિન્દુ સમાજ ટંકારાના નેજા હેઠળ મહામહોત્સવ નામકરણ સાથે ૨૨ તારીખે દિવાળી અને પછી ૧૦/૧૧/૧૨ ફેબ્રુઆરી દેવ દિવાળી એમ ન ભુતો ન ભવિષ્યતિ જેવુ ઐતિહાસિક આયોજન ધડી કાઢયું છે. જેમા સૌ હિન્દુ સમાજ સ્વયંભુ બંધ રાખી મહાશોભાયાત્રા યોજશે ત્યારબાદ મોટી સ્કિનમા લાઈવ અયોધ્યા દર્શન સાથોસાથ તમામ ધરે રસોડા બંધ કરી ધુમાડાબંધ એકજ પાંગતમા સૌ સાથે મહાપ્રસાદ લઈ ઉજવણી કરશે જેની યુદ્ધના ધોરણે તૈયારી હાથ ધરી છે. 

ટંકારામા મહાશોભાયાત્રા પ્રારંભ શ્રી ફુલિયા હનુમાનજી મંદિર દેરીનાકાથી સવારે ૯:૩૦ વાગ્યે શરૂ થશે અને અહીથી રાજબાઈ ચોક ખાતે થી દેરાસર રોડ માર્ગ ધેટીયા વાસ રામજી મંદિરે જશે અહીથી ઉગમણા નાકે પ્રસાર થઈ યુવાચોક ત્રણ હાટડી રામજી મંદિરે જશે અહીંથી શ્રી લક્ષ્મીનારાયણ મેઈન રોડ થી દાદાની ઝાંખી કરી મહર્ષિ દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકઠા થઈ મહા મહોત્સવનું અયોધ્યા થી લાઈવ પ્રસારણ મોટી સ્કીન મારફતે થશે જ્યા મહા આરતી પુજા અર્ચના કરી મહાપ્રસાદ યોજાશે આ મહોત્સવની ઉજવણી સ્વયંભુ રંગ લાગ્યો હોય એમ શુશોભન શ્રીંગાર સ્વચ્છતા સહિતની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. અને મહોલ્લામાં મિટીગો દરમિયાન પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ આગોતરા આયોજન રૂપે દરેક ધરે ભગવો ધ્વજ શિરીઝ લગાડશે તથા ૨૨ તારીખે વહેલી સવારે પ્રત્યેક ધરે દીવડા પ્રગટાવી આશોપાલવના તોરણીયા બાંધી આંગણે રંગોળી કરી ત્યારબાદ સૌ સંયુક્ત કુટુંબ સાથે મહાશોભાયાત્રા માટે એકઠા થશે. ઉલ્લેખનીય છે એકજ મહીનામાં બે બે ઉત્સવ હોય આર્ય સમાજની કાર્યાલય ઓવરબ્રિજ પુરી થતા રાજકોટ રોડ પર કાર્યાલય ખાતે લાઈટિગ શિરીઝ સામાન્ય કિંમતે ઉપલબ્ધ છે જે ૧૦/૧૧/૧૨ ફેબ્રુઆરી એ પણ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો બે શતાબ્દી મહોત્સવ જ્ઞાન જયોતી પર્વ દરમિયાન રોશની અને ઋષિ ગાથાની ધુન મચશે. આ ઉપરાંત ધરે ભગવા ઝંડા રાજબાઈ મંદિર પાસેથી લાલાભાઈ ભાટીયા રણજીતભા ગઢવી પાસેથી મળી  રહશે.








Latest News