મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા ૧૧ દીકરીઓના સમુહલગ્નનું આયોજન
મોરબી અને માળીયાના ધારાસભ્ય દ્વારા કાલથી મંદિરોમાં સફાઈ ઝુંબેશ શરૂ
SHARE
મોરબી અને માળીયાના ધારાસભ્ય દ્વારા કાલથી મંદિરોમાં સફાઈ ઝુંબેશ શરૂ
આગામી દિવસોમાં અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજવાનો છે તે અંતર્ગત મંદિર સફાઈ અભિયાન માટે વડાપ્રધાને આહવાન કયું છે ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય અને તેની ટિમ દ્વારા મંદિરોમાં સફાઈ ઝુંબેશ કાલથી હાથ ધરવામાં આવશે અને મોરબી તેમજ માળીયામાં ધાર્મિક જગ્યાઓએ ૫૦૦૦ જેટલી દિવાલ ઘડિયાળનું ધારાસભ્ય દ્વારા વિતરણ કરવામાં આવશે
મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના જાગૃત, સક્રિય, ધર્મપ્રેમી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વિસ્તારના તમામ મંદિરોની આસપાસ સ્વચ્છતા રાખવાની ઝુંબેશ અન્વયે પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. અને પ્રવાસ દરમિયાન તેઓ સ્વખર્ચે સફાઈ સાધનો અર્પણ કરશે તથા ૫૦૦ વર્ષના રામ મંદિરના સંઘર્ષ અન્વયે ૫,૦૦૦ જેટલી ઘડિયાળો તમામ મંદિરો અને ધર્મસ્થાનોમાં ભેટ કરશે આ અભિયાન કાલે તા ૧૮ થી શરૂ કરવામાં આવશે અને પહેલા દિવસે તેઓના વતન જેતપર(મ.) રામજી મંદિર, ખાખરેચી જડેશ્વર મહાદેવ મંદિર, મોટા દહિસર રામજી મંદિર, મહેન્દ્રનગર, હનુમાનજી મંદિર, ધર્મ મંગળ સોસાયટી, CNG પંપની સામે, રામજી મંદિર ભડિયાદ અને ત્રાજપર, નીલકંઠ મહાદેવ મંદિર ખાતે તેઓ જવાના છે અને સફાઈ સાધનો તેમજ ઘડિયાળ આપવામાં આવશે ત્યારે જિલ્લા અને તાલુકા ભાજપના સંગઠનના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષમાં વિવિધ જવાબદારી સંભાળતા તમામ આગેવાનો તથા તમામ આગેવાનો સરપંચઓ તથા તમામ કાર્યકરો હાજર રહેવાના છે









