મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબી અને માળીયાના ધારાસભ્ય દ્વારા કાલથી મંદિરોમાં સફાઈ ઝુંબેશ શરૂ


SHARE















મોરબી અને માળીયાના ધારાસભ્ય દ્વારા કાલથી મંદિરોમાં સફાઈ ઝુંબેશ શરૂ

આગામી દિવસોમાં અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજવાનો છે તે અંતર્ગત મંદિર સફાઈ અભિયાન માટે વડાપ્રધાને આહવાન કયું છે ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય અને તેની ટિમ દ્વારા મંદિરોમાં સફાઈ ઝુંબેશ કાલથી હાથ ધરવામાં આવશે અને મોરબી તેમજ માળીયામાં ધાર્મિક જગ્યાઓએ ૫૦૦૦ જેટલી દિવાલ ઘડિયાળનું ધારાસભ્ય દ્વારા વિતરણ કરવામાં આવશે

મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના જાગૃત, સક્રિય, ધર્મપ્રેમી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વિસ્તારના તમામ મંદિરોની આસપાસ સ્વચ્છતા રાખવાની ઝુંબેશ અન્વયે પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. અને પ્રવાસ દરમિયાન તેઓ સ્વખર્ચે સફાઈ સાધનો અર્પણ કરશે તથા ૫૦૦ વર્ષના રામ મંદિરના સંઘર્ષ અન્વયે ૫,૦૦૦ જેટલી ઘડિયાળો તમામ મંદિરો અને ધર્મસ્થાનોમાં ભેટ કરશે આ અભિયાન કાલે તા ૧૮ થી શરૂ કરવામાં આવશે અને પહેલા દિવસે તેઓના વતન જેતપર(મ.) રામજી મંદિર, ખાખરેચી જડેશ્વર મહાદેવ મંદિર, મોટા દહિસર રામજી મંદિર, મહેન્દ્રનગર, હનુમાનજી મંદિર, ધર્મ મંગળ સોસાયટી, CNG પંપની સામે, રામજી મંદિર ભડિયાદ અને ત્રાજપર, નીલકંઠ મહાદેવ મંદિર ખાતે તેઓ જવાના છે અને સફાઈ સાધનો તેમજ ઘડિયાળ આપવામાં આવશે ત્યારે જિલ્લા અને તાલુકા ભાજપના સંગઠનના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષમાં વિવિધ જવાબદારી સંભાળતા તમામ આગેવાનો તથા તમામ આગેવાનો સરપંચઓ તથા તમામ કાર્યકરો હાજર રહેવાના છે






Latest News