મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ
Breaking news
Morbi Today

હળવદમાં ત્રણ સગાભાઈ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો: એકની હત્યા, એક ગંભીર


SHARE















હળવદમાં ત્રણ સગાભાઈ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો: એકની હત્યા, એક ગંભીર

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં ગોરી દરવાજા પાસે ત્રણ સગા ભાઇઓની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા ત્રણેય ભાઈઓને સારવાર માટે પ્રથમ હળવદ ત્યાર બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જો કે, સારવાર દરમ્યાન એક યુવાનનું મોત નીપજયું છે અને એકની હાલત ગંભીર હોવાનુ સામે આવ્યું છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગતો મુજબ હળવદના નવા ઇસનપુર ગામે રહેતા રવિભાઈ ખોડાભાઈ સોનાગ્રા (૨૮) તેના ભાઈ જયદીપભાઇ ખોડાભાઈ સોનાગ્રા (૨૬) અને હિરેનભાઈ ખોડાભાઈ સોનાગ્રા (૨૪) ઉપર હળવદના ગોરી દરવાજા પાસે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતી જેથી કરીને ગંભીર રીતે ઇજા પામેલા ત્રણેય ભાઈઓને હળવદમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન રવિભાઈ ખોડાભાઈ સોનાગ્રા (૨૮)ની મોત નીપજયું છે અને હિરેનભાઈ ખોડાભાઈ સોનાગ્રાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં હત્યાના આ બનાવમાં ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક રવિભાઈ ખોડાભાઈ સોનાગ્રા  અને તેના બંને ભાઈઓ સેન્ટીંગનું કામ કરતા હતા અને નવા ઇસનપુરથી હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં કામ માટે આવ્યા હતા ત્યારે ભરાઈનું કામ કરતાં નટુભાઇ દાઢી અને તેનો દીકરો ત્યાં ગાળો બોલતા હતા જેથી કરીને ગાળો બોલવાની ના પડી હતી માટે તેની સાથે બોલાચાલી થયેલ હતી અને ત્યારે તે બંનેએ બીજા ત્રણથી ચાર શખ્સોને ત્યાં બોલાવ્યા હતા અને સેંટિંગનું કામ કરી રહેલા ત્રણેય ભાઇઓની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં રવિભાઈ ખોડાભાઈ સોનાગ્રા ને વધુ ઇજા થયેલ હોવાથી તેની મોત નીપજયું છે અને હિરેનભાઈ તેમજ જયદીપભાઇ સારવારમાં છે હાલમાં પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદ લેવા માટેની તેમજ આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે જોકે, હત્યાના આ બનાવથી ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News