મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

ટંકારામાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી માટે લાંચના ગુનામાં આરોપી જામીન મુક્ત


SHARE













ટંકારામાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી માટે લાંચના ગુનામાં આરોપી જામીન મુક્ત

દેશભરમાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી વિનામૂલ્યે કરવામાં આવે છે જો કે, મોરબી જિલ્લાના ટંકારામાં તેના માટે ૨૦૦ રૂપિયા લેવામાં આવતા હોવાની એસીબીની ટીમને ફરિયાદ મળી હતી જેથી કરીને ટંકારામાં કોમન સર્વિસ સેન્ટર ચલાવતા યુવાને અરજી કરવાના ૨૦૦ રૂપિયા લેતાની સાથે પકડી લેવામાં આવેલ હતો જે આરોપીના જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીને જામીન મુક્ત કરવામાં આવેલ છે

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર-૧૦મા કોમન સર્વિસ સેન્ટર (C.S.C) ચલાવતા મૂળ નાનાખિજડીયા ગામના રહેવાસી અને હાલમાં ટંકારાની લક્ષ્મીનારાયણ નગર સોસાયટી નંબર-૫ માં ભાડાના મકાનમાં રહેતા જીતેન્દ્રકુમાર પ્રવિણભાઇ ચોહાણ (૩૮)ને વિનામુલ્યે કરવાની અરજી માટે ૨૦૦ રૂપિયા લેતા એસીબીની ટીમે ઝડપી લીધો હતો અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી આ ગુનામાં પકડાયેલા આરોપીએ વકીલ ટી.બી દોશી મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરેલ હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને આરોપીના રેગ્યુલર જામીન મુક્ત કરવા હુકમ કરલે છે આ કેસમાં વકીલ ટી.બી દોશી, અમિતભાઈ જાની, કે.ડી. સંખેસરિયા, રાહુલભાઈ ડાંગર અને કેતનભાઇ ચૌહાણ રોકાયેલ હતા








Latest News