રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

ટંકારામાં કાર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE







ટંકારામાં કાર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત

ટંકારા ના અમરાપર રોડ ઉપર આવેલ દેવીપુજક વાસ પાસે કાર ચાલકે બાળકને હડફેટે લીધો હતો જેથી કરીને તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને કાર ચાલક તેની કાર લઈને નાસી ગયો હતો. જેથી કરીને હાલમાં મૃતક બાળકના પિતાએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ દેવીપુજકવાસમાં રહેતા રાયધનભાઈ સવશીભાઈ વાઘેલા જાતે દેવીપુજક (૨૪)એ કાર નંબર જીજે ૧૦ ડીએ ૪૯૬૬ ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે અમરાપર રોડ ઉપર આવેલ દેવીપુજકવાસમાં તેઓના ઘર પાસે તેનો ત્રણ વર્ષનો દીકરો રાજેશ રમી રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના દીકરાને હડફેટે લીધો હતો જેથી કરીને તેને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી રાજેશનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ બાદ વાહન ચાલક ત્યાંથી નાસી ગયો હતો હાલમાં મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં રહેતા દિનેશભાઈ જોશી (૬૫) નામના વૃદ્ધ મોરબી સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓને ચક્કર આવતા ત્યાં પડી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News