મોરબીમાં ઝઘડાનું સમાધાન કરવા બોલાવીને માર મારનાર પાંચની ધરપકડ
મોરબીના જનકલ્યાણનગરમાં જયરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા “માં ગરબી”ની જમાવટ
SHARE
મોરબીના જનકલ્યાણનગરમાં જયરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા “માં ગરબી”ની જમાવટ
મોરબી શહેરના સામાકાઠે વિસ્તારમાં આવેલ જનકલ્યાણનગરમાં મોરબી નગરપાલિકાન ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી “માં ગરબી”નું આયોજન કરવામાં આવે છે જેનું સ્થાનિક લોકોમાં ખુબ જ આકર્ષણ છે કેમ કે આ ગરબીમાં નાની બાળાઓથી માંડીને તમામ મહિલાઓ વિનામુલ્યે ગરબે ઘૂમી શકે છે આટલું જ નહિ અહી રાસ રજુ કરનારી બાળાઓ સહિતનાને જુદાજુદા ઇનામો પણ દરરોજ આપવામાં આવે છે ત્યારે વર્તમાન સમયમાં સરકાર તરફથી જે કોરોના ગાઈડ લાઇન ગરબી માટે આપવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા માતાજીની ભક્તિ સાથે ગરબાનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે