વાંકાનેરના રાતીદેવરી ગામે પાણીની પારાયણમાં ગામના લોકોએ કર્યો ફરી ચક્કાજામ
SHARE
વાંકાનેરના રાતીદેવરી ગામે પાણીની પારાયણમાં ગામના લોકોએ કર્યો ફરી ચક્કાજામ
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ પાણીનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી જો કે તેને ઉકેલવામાં આવતો નથી માટે ગામના લોકોએ ફરી પાછો પાણીની માંગ સાથે રસ્તો ચક્કાજામ કરી દીધો હતો જેથી કરીને વાંકાનેર-જડેશ્વર મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો અને વાહનોના થપ્પા લાગી ગયા હતા અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા આ અંગેની જાણ થતાની સાથે સીપીઆઇ સાહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને પોલીસની સમજાવટથી બે કલાક બાદ ટ્રાફિક કાર્યરત થયો હતો અત્રે ઉલેખનીય છે કે, રાતીદેવરી ગામની મહિલાઓ દ્વારા થોડા દિવસ પહેલા પણ પાણી માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તો પણ તેનો પ્રશ્ન ઉકેલાયો ન હોવાથી વધુ એક વખત લોકોએ ચક્કાજામ કર્યો હતો









