મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ મોરબીમાં દીકરાના લગ્ન પ્રસંગ નિમિતે જલારામ ધામના સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સમાજને નવો રાહ ચીંધતો ઝાલા પરિવાર મોરબી જીલ્લાના હજયાત્રીઓ માટે શુક્રવારે વાંકાનેર ખાતે વેક્સીનેશન કેમ્પ મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

સોશિયલ મીડિયાની આડ અસર : સોશિયલ મિડીયા વડે સંપર્કમાં આવેલ પરિણીત પ્રેમી પંખીડાએ મોરબી નજીક કેનાલમાં ઝંપાવ્યું, પ્રેમી યુવાન અને તેને બચાવવા પડેલ પિતા સહિત બે મોત


SHARE















સોશિયલ મીડિયાની આડ અસર : સોશિયલ મિડીયા વડે સંપર્કમાં આવેલ પરિણીત પ્રેમી પંખીડાએ મોરબી નજીક કેનાલમાં ઝંપાવ્યું, પ્રેમી યુવાન અને તેને બચાવવા પડેલ પિતા સહિત બે મોત

હાલના સમયમાં સોશિયલ મીડિયાની ઘણી આડ અસરો સમયાંતરે સમાજમાં સામે આવતી હોય છે અને અણધાર્યા બનાવો બનતા હોય છે.તેઓ જ એક વધુ બનાવ મોરબીમાં સામે આવ્યો છે.જેમાં સોશિયલ મીડિયા વડે સંપર્કમાં આવ્યા બાદ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના થાનનો વતની અને હાલ પરીવારની સાથે જામનગર ગુલાબનગરમાં રહેતા પરિણીત યુવાનને અમદાવાદ ખાતે રહેતી પરણીત પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ થઇ જતા બંનેએ દસેક દિવસ પહેલાં ઘર છોડી દીધા હતા અને અહીં મોરબીના લખધીરપુર રોડ ઉપર કોઈ પુંઠ્ઠાના કારખાનામાં બંને રહેતા હતા જે અંગે અમદાવાદ ખાતે રહેતી પરણીતાના પરિવાર દ્વારા ત્યાં કરવામાં આવેલી અરજીની તપાસનો રેલો જામનગર ખાતે રહેતા યુવક સુધી પહોંચ્યો હતો.જેથી યુવકના પિતા સહિતનાઓ બંનેને શોધવા માટે નીકળ્યા હતા અને મોરબી આવ્યા હતા.દરમ્યાનમાં યુવકના પિતા સહિતનાઓએ બંનેને લખધીરપુર રોડ ઉપરથી શોધી કાઢ્યા હતા.તે સમયે પરિણીત પ્રેમી પંખીડાએ સજોડે બાજુમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં ઝંપલાવી દીધું હતું.જેથી બંનેને બચાવવા માટે યુવાનના પિતા તથા અન્ય લોકો કેનાલમાં પડ્યા હતા.જોકે અન્ય લોકોને અમદાવાદની પરિણીત પ્રેમિકાને બચાવી લીધી હતી અને કેનાલમાં પડેલ પ્રેમી યુવાન અને તેને બચાવવા તેની પાછળ પડેલ યુવકના પિતા એમ બે લોકો (પિતા-પુત્ર) ના હાલ મોત નીપજયા હોય આ બનાવે શહેરભરમાં ચર્ચા જગાવી છે.

 

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ થાનનો અને હાલ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતો યુવાન અમદાવાદની પરણીતા સાથે સોશિયલ મીડિયાના માધ્યમ વડે સંપર્કમાં આવ્યો હતો અને સમાજ એક નહીં થવા દે તેમ વિચારીને બંને મોરબી આવ્યા હતા અહીં બંને લખધીરપુર રોડ ઉપર પૂંઠાના કારખાનામાં મજૂરી કામે રહ્યા હતા અને દરમિયાનમાં જ્યારે પરિણીતા ફોન ઉપર આ યુવક સાથે વાત કરતી હતી તેની જાણ મહિલાના પરિવારને થઈ જતા ત્યાં અમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી જેની તપાસનો રેલો જામનગર સુધી પહોંચ્યો હતો અને યુવાન જામનગર રહેતો હોય તેના પરિવારને આ સમગ્ર બાબતની જાણ થતા યુવાનનો પરિવાર બંનેને શોધવા માટે નીકળ્યો હતો.જામનગરના ગુલાબનગરમા રહેતા એક સંતાનના પિતા કિશન ભરતભાઇ લકુમ વાંઝા (૨૨) નામના યુવાનને અમદાવાદમાં રહેતી નેહા વિક્રમભાઈ નામની એક સંતાનની માતા સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા આ પરિણીત પ્રેમી યુગલ ઘર છોડીને મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનામાં સાથે રહીને મજૂરી કરવા લાગ્યા હતા..! બંને મોરબી હોવાની યુવકના પિતા સહિતના પરિવારને જાણ થતા તેઓ પોતાના પુત્રને શોધવા મોરબી આવ્યા હતા અને બન્નેને શોધીને સાથે લઈ જતા હતા ત્યારે પ્રેમીયુગલે સમાજ એક નહિ થવા દે તેમ વિચારીને લખધીરપુર રોડ ઉપર એન્ટિક સિરામિક સામેથી પસાર થતી કેનાલમાં ઝંપલાવી દીધુ હતુ.જેથી બંનેને બચાવવા માટે કિશનના પિતા ભરતભાઇ જેસિંગભાઈ લકુમ તેમજ તેમની સાથે આવેલા અન્ય લોકોએ પણ યુવક-યુવતીને બચાવવા તા.૬ ના સાંજે કેનાલમાં ઝંપલાવ્યુ હતુ.જોકે અન્ય લોકોએ અમદાવાદની પરિણીત પ્રેમીકા નેહા વિક્રમભાઈને બચાવી લીધી હતી.જ્યારે કિશન ભરતભાઇ લકુમ વાંજા (૨૨) અને તેના પિતા ભરતભાઈ જેસીંગભાઇ લકુમ વાંઝા (૪૫) ના ડુબી જવાથી મોત નીપજ્યું હતા.તા.૭ ના સવારે આઠેક વાગ્યાના અરસામાં કેનાલમાંથી પિતા-પુત્ર બંનેના મૃતદેહ બહાર કઢવામાં આવ્યા હતા.બનાવ અંગે હાલમાં મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.






Latest News