મોરબીની શ્રી કપોરી વાળી પ્રા.શાળા ખાતે બાળકો માટે યોજાયું વિજ્ઞાન પ્રદર્શન
મોરબીના આગેવાને મુખ્યમંત્રીને ભગવાન માંધાતા-સંત વેલનાથ બાપુના નામે યોજના જાહેર કરવા કરી રજૂઆત
SHARE
મોરબીના આગેવાને મુખ્યમંત્રીને ભગવાન માંધાતા-સંત વેલનાથ બાપુના નામે યોજના જાહેર કરવા કરી રજૂઆત
હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ભગવાન માંધાતા અને સંત વેલનાથ બાપુના નામની યોજનાની જાહેરાત કરવામાં આવે તેવી રજૂઆત મોરબી પાલિકાના પૂર્વ કાઉન્સિલર અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સુરેશભાઈ શિરોહીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને કરી છે. વધુમાં માહિતી આપતા સુરેશભાઈ શિરોહીયાએ જણાવ્યું છે કે, સમસ્ત કોળી ઠાકોર સમાજના ઈષ્ટદેવ માંધાતા અને સંત વેલનાથ બાપુએ તમામ વરણને નવી રાહ બતાવી છે ત્યારે સરકારની અનેક યોજના સંત રોહીદાસ, હરીશચંદ્ર તારામતી, વિરમેઘમાયા, કુંવરબાઈનું મામેરું જેવી યોજના અમલી છે તેવી જ રીતે સમાજ સુધારક ભગવાન માંધાતા અને સંત વેલનાથ બાપુના નામથી ગુજરાતમાં સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવે તેવી રાજ્યના કોળી ઠાકોર સમાજ વતી લાગણી વ્યક્ત કરેલ છે.









