મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના આગેવાને મુખ્યમંત્રીને ભગવાન માંધાતા-સંત વેલનાથ બાપુના નામે યોજના જાહેર કરવા કરી રજૂઆત


SHARE













મોરબીના આગેવાને મુખ્યમંત્રીને ભગવાન માંધાતા-સંત વેલનાથ બાપુના નામે યોજના જાહેર કરવા કરી રજૂઆત

હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ભગવાન માંધાતા અને સંત વેલનાથ બાપુના નામની યોજનાની જાહેરાત કરવામાં આવે તેવી રજૂઆત મોરબી પાલિકાના પૂર્વ કાઉન્સિલર અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સુરેશભાઈ શિરોહીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને કરી છે. વધુમાં માહિતી આપતા સુરેશભાઈ શિરોહીયાએ જણાવ્યું છે કે, સમસ્ત કોળી ઠાકોર સમાજના ઈષ્ટદેવ માંધાતા અને સંત વેલનાથ બાપુએ તમામ વરણને નવી રાહ બતાવી છે ત્યારે સરકારની અનેક યોજના સંત રોહીદાસ, હરીશચંદ્ર તારામતી, વિરમેઘમાયા, કુંવરબાઈનું મામેરું જેવી યોજના અમલી છે તેવી જ રીતે સમાજ સુધારક ભગવાન માંધાતા અને સંત વેલનાથ બાપુના નામથી ગુજરાતમાં સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવે તેવી રાજ્યના કોળી ઠાકોર સમાજ વતી લાગણી વ્યક્ત કરેલ છે.






Latest News