મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

ટંકારાની લજાઈ ચોકડી નજીક સગીરે લેબર કવાર્ટરમાં ન કરવાનું કર્યું


SHARE













ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલ અંદાજ અપના દેશી ધાબાના સ્ટાફ કવાર્ટરમાં રહેતા સગીરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને ટંકારા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ગામ પાસે હોનેસ્ટ હોટલની પાછળના ભાગમાં અંદાજ અપના દેશી ધાબા ની ઓરડીમાં રહેતા કિશોરસિંહ લક્ષ્મણસિંહ રાવત જાતે રાજપૂત (૧૬) એ કોઈ કારણોસર લેબર ક્વાર્ટર ની અંદર છતની એંગલ માં ટુવાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને અસલમભાઈ ઇસ્માઈલભાઈ બલોચ (૨૮) રહે હાલ અંદાજ અપના દેશી ધાબા લજાઇ મૂળ રહે સોમનાથ જિલ્લા વાળા ટંકારા તાલુકાના સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે આ બનાવની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે અને સગીરે કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ ચાલી રહી છે








Latest News