ટંકારા પોલીસે માનસીક અસ્થીર યુવનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ
SHARE
ટંકારા પોલીસે માનસીક અસ્થીર યુવનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ
ટંકારામાં ગત તા. ૧૦ થી ૧૨ સ્વામી દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતી અનુસંધાને મોટી સંખ્યામા લોકો આવ્યા હતા અને ત્યારે ટંકારાના પીએસઆઈ એમ.જે. ધાંધલના મોબાઇલ નંબર ઉપર ગત તા .૧૩ ના રાતના ૧૧:૩૦ કલાકે શ્રુતીબેનનો ફોન આવેલ હતો અને તેમણે કહ્યું હતું કે, તેઓ સહ પરીવાર સાથે ગુડગાંવ (હરીયાણા) થી ટંકારા આવ્યા હતા અને કાર્યક્રમ પુર્ણ થયા બાદ ટંકારાથી નિકળી રાજકોટ રેલ્વે સ્ટેશને ગયેલ હોય ત્યાં તેઓ સાથે તેનો ભાઈ યતીશ આર્ય (૩૪) નો જે માનસીક અસ્થીર હોય જે હાથ છોડાવી જતો રહેલ હતો અને જેથી પીએસઆઈ અને તેની ટીમે યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને યતીશ આર્ય રેલ્વે સ્ટેશનેથી મળી આવેલ હતો અને લેખીત ફરીયાદ કે ગુમ અરજી ન હોય જેથી તેને માનસીક અસ્થીર હોવાથી ટંકારા પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા અને તેના પિતા જગદીશ શ્રીનાનકચંદ આર્યનો સંપર્ક કરી તેઓને અત્રે ટંકારા પોલીસ સ્ટેશન બોલાવેલ હતા અને ટંકારા પોલીસે આ માનસીક અસ્થીર યુવાનનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું આ કામગીરી પીએસઆઈ એમ.જે. ધાધલ અને પી.એલ.શેડા તેમજ સ્ટાફના શાહિદભાઈ સીદીકી, સાલેમામદભાઇ હાજીભાઇ, અરૂણભાઈ પરમારએ કરી હતી









