હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારા પોલીસે માનસીક અસ્થીર યુવનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE













ટંકારા પોલીસે માનસીક અસ્થીર યુવનનું પરિવાર સાથે મિલન કરાવ્યુ

ટંકારામાં ગત તા. ૧૦ થી ૧૨ સ્વામી દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતી અનુસંધાને મોટી સંખ્યામા લોકો આવ્યા હતા અને ત્યારે ટંકારાના પીએસઆઈ એમ.જે. ધાંધલના મોબાઇલ નંબર ઉપર ગત તા .૧૩ ના રાતના ૧૧:૩૦ કલાકે શ્રુતીબેનનો ફોન આવેલ હતો અને તેમણે કહ્યું હતું કે, તેઓ સહ પરીવાર સાથે ગુડગાંવ (હરીયાણા) થી ટંકારા આવ્યા હતા અને કાર્યક્રમ પુર્ણ થયા બાદ ટંકારાથી નિકળી રાજકોટ રેલ્વે સ્ટેશને ગયેલ હોય ત્યાં તેઓ સાથે તેનો ભાઈ યતીશ આર્ય (૩૪) નો જે માનસીક અસ્થીર હોય જે હાથ છોડાવી જતો રહેલ હતો અને જેથી પીએસઆઈ અને તેની ટીમે યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને યતીશ આર્ય રેલ્વે સ્ટેશનેથી મળી આવેલ હતો અને લેખીત ફરીયાદ કે ગુમ અરજી ન હોય જેથી તેને માનસીક અસ્થીર હોવાથી ટંકારા પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા અને તેના પિતા જગદીશ શ્રીનાનકચંદ આર્યનો સંપર્ક કરી તેઓને અત્રે ટંકારા પોલીસ સ્ટેશન બોલાવેલ હતા અને ટંકારા પોલીસે આ માનસીક અસ્થીર યુવાનનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું આ કામગીરી પીએસઆઈ એમ.જે. ધાધલ અને પી.એલ.શેડા તેમજ સ્ટાફના શાહિદભાઈ સીદીકી, સાલેમામદભાઇ હાજીભાઇ, અરૂણભાઈ પરમારએ કરી હતી






Latest News