મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે રથ સપ્તમી દિવસને સૂર્ય નમસ્કાર દિવસ તરીકે ઉજવાયો


SHARE













મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે રથ સપ્તમી દિવસને સૂર્ય નમસ્કાર દિવસ તરીકે ઉજવાયો

મોરબીમાં સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે રથ સપ્તમી દિવસને સૂર્ય નમસ્કાર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તા ૧૬ ફેબ્રુઆરીએ સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા અને ત્યારે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતું કે, યોગ આસનોમાં સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ છે. આ એક માત્ર આસનથી શરીરને પૂર્ણ વ્યાયામ મળે છે. તેના રોજિંદા અભ્યાસથી આપણું શરીર રોગમુક્ત, સ્વસ્થ બને છે અને આપણો ચહેરો ચમકદાર બને છે.  મહિલાઓ હોય કે પુરૂષો, બાળકો હોય કે વૃદ્ધો, સૂર્ય નમસ્કાર દરેક માટે ખૂબ જ ફાયદાકારક છે વધુમાં જણાવ્યુ હતું કે, સૂર્ય નમસ્કારમાં કુલ ૧૨ મુદ્રાઓનો સમાવેશ થાય છે આજે (રથ સપ્તમી, આરોગ્ય સપ્તમી ,નર્મદા જયંતીના દિવસે) સાર્થક વિદ્યા મંદિર ખાતે સૂર્ય નમસ્કાર દિવસ ઉજવાયો હતો. અત્રે ઉલેખનીય છે કે, સામાન્ય રીતે સાર્થક વિદ્યામંદિરના દરેક ધોરણમાં સૂર્ય નમસ્કાર શીખવવામાં આવે છે અને કરાવવામાં આવે છે પરંતુ આજના દિવસને અનુસંધાને યુકેજીના બાળકો તેમજ ધો. ૯ થી ૧૧ ના વિદ્યાર્થીઓને ઉજવણીમાં સંમેલિત કરવામાં આવ્યા હતા. અને સાર્થક વિદ્યામંદિરના યોગ આચાર્યો કમલેશભાઈ, તેજલબેન, મીનલબેન અને પાયલબેન દ્વારા સૂર્ય નમસ્કાર કરાવાયા હતા તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે માહિતી આપતા જણાવ્યુ હતું






Latest News