ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા


SHARE













મોરબી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન

આઝાદીના ૭૫ વર્ષ નિમિતે આઝાદી કા અમૃતમ મહોત્સવઅંતર્ગત સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગવંતુ બનાવવા રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઓકટોબર માસમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા ર જી ઑક્ટોબરના રોજ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે કલેકટરશ્રી જે.બી. પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવની ઉપસ્થિતિમાં તેમજ મોરબી તાલુકાના ગાળા ગામે નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મીતાબેન જોષી ની ઉપસ્થિતિમાં ખાસ ગ્રામ સભાઓ યોજવામાં આવી હતી. ગ્રામ સભામાં સ્વચ્છતાને લગત સોક્પીટ, કમ્પોસ્ટપીટ તેમજ ગામને સિંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત કરવા ઉપસ્થિત લોકોને જરુરી માર્ગદર્શન આપ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી મોરબી જિલ્લામાં ૧૦૦ દિવસ ઝુંબેશઅંતર્ગત આયોજીત કાર્યક્રમો હેઠળ ગ્રામ પંચાયતોમાં વિવિધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત થનાર પ્રવૃતીઓના બહોળા પ્રચાર પ્રસાર ભાગ રૂપે સામુહિક સ્થળોની સફાઇ પ્રવાહી તેમજ ઘન કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટીક કચરાનો યોગ્ય નિકાલ થાય તેવા મુદ્દાઓને ધ્યાને લઈ બહોળા પ્રમાણમાં જન ભાગીદારીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સંવાદ યોજવામાં આવેલ. મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સ્વચ્છતા શપથ, નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.

જિલ્લાના તમામ તાલુકાઓમાં વૃક્ષારોપણ, જાહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સફાઇ, શૌચાલયના વપરાશ પ્રત્યે સજાગ કરવા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ અન્વયે ગ્રામ્ય કક્ષાએ લોકોને જણ કરવા વિવિધ IEC પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં સિંગલ પ્લાસ્ટીક યુઝ વ્યવસ્થાપન અંતર્ગત સફાઇ કામ કરાવવામાં પ્રજાજનનોની મહત્વપૂર્ણ જનભાગીદારી નોંધાઇ રહી છે. મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ ફેઝ -૨ અંતર્ગત સ્વચ્છતા જાળવવા જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ સ્વચ્છતા લક્ષી કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે.








Latest News