મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

નાદારી નોધાવી છે કે શું ? : મોરબી પાલિકા પાસે લારી ન હોવાથી ગટરના કચરાનો નિકાલ કરવામાં વિલંબ.!


SHARE















નાદારી નોધાવી છે કે શું ? : મોરબી પાલિકા પાસે લારી ન હોવાથી ગટરના કચરાનો નિકાલ કરવામાં વિલંબ.!


મોરબી પાલિકા દ્વારા જૂના મોરબીમાં જે ખુલ્લી ગટર આવેલ છે તેની સફાઈ તો સવારે કરાવવામાં આવે છે જો કે, ગટરની સફાઈ બાદ જે કચરો બહાર કાઢવામાં આવેલ હોય છે તે કચરાને સાંજ સુધી ઉપડવામાં આવતો નથી જેથી કરીને લોકોને ગંદકી સહન કરવી પડે છે જેથી કરીને આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી કરીને તે વિસ્તારના એક જાગૃત નાગરિક દ્વારા પાલિકાના કોન્ટ્રાકટર સાથે ગટર સફાઈ બાબતે વાત કરવામાં આવી હતી તેનો વિડીયો હાલમાં સોશિઅલ મીડિયામાં વાયરલ થયેલ છે જેમાં કોન્ટ્રાકટરના કહેવા મુજબ કચરો ઉપાડવા માટેની લારીના અભાવ સવારે કાઢેલ કચરાને સાંજ સુધી ઉપડવામાં આવતો નથી તેવું કોન્ટ્રાકટર બોલે છે વધુમાં તેને એવું પણ કહ્યું હતું કે, તેની પાસે કચરાના નિકાલ માટે હાલમાં ૧૫ લારી છે અને તેઓને ૩૦ થી વધુ લારીની જરૂર છે જે અંગેની તેને પાલિકામાં રજૂઆત કરી જ છે પરંતુ લારી મળેલ નથી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી પાલિકાની તિજોરી સાફ છે તેવું કહેવામા આવી રહ્યું છે ત્યારે પાલિકાએ હવે સાવ નાદારી નોંધાવી દીધી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.






Latest News