નાદારી નોધાવી છે કે શું ? : મોરબી પાલિકા પાસે લારી ન હોવાથી ગટરના કચરાનો નિકાલ કરવામાં વિલંબ.!
SHARE
નાદારી નોધાવી છે કે શું ? : મોરબી પાલિકા પાસે લારી ન હોવાથી ગટરના કચરાનો નિકાલ કરવામાં વિલંબ.!
મોરબી પાલિકા દ્વારા જૂના મોરબીમાં જે ખુલ્લી ગટર આવેલ છે તેની સફાઈ તો સવારે કરાવવામાં આવે છે જો કે, ગટરની સફાઈ બાદ જે કચરો બહાર કાઢવામાં આવેલ હોય છે તે કચરાને સાંજ સુધી ઉપડવામાં આવતો નથી જેથી કરીને લોકોને ગંદકી સહન કરવી પડે છે જેથી કરીને આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી કરીને તે વિસ્તારના એક જાગૃત નાગરિક દ્વારા પાલિકાના કોન્ટ્રાકટર સાથે ગટર સફાઈ બાબતે વાત કરવામાં આવી હતી તેનો વિડીયો હાલમાં સોશિઅલ મીડિયામાં વાયરલ થયેલ છે જેમાં કોન્ટ્રાકટરના કહેવા મુજબ કચરો ઉપાડવા માટેની લારીના અભાવ સવારે કાઢેલ કચરાને સાંજ સુધી ઉપડવામાં આવતો નથી તેવું કોન્ટ્રાકટર બોલે છે વધુમાં તેને એવું પણ કહ્યું હતું કે, તેની પાસે કચરાના નિકાલ માટે હાલમાં ૧૫ લારી છે અને તેઓને ૩૦ થી વધુ લારીની જરૂર છે જે અંગેની તેને પાલિકામાં રજૂઆત કરી જ છે પરંતુ લારી મળેલ નથી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી પાલિકાની તિજોરી સાફ છે તેવું કહેવામા આવી રહ્યું છે ત્યારે પાલિકાએ હવે સાવ નાદારી નોંધાવી દીધી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.









