મોરબીના રવાપર ગામે ઉમા હોલમાં હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
SHARE
મોરબીના રવાપર ગામે ઉમા હોલમાં હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
મોરબીનો સતત વિકાસ થઈ રહ્યો છે ત્યારે લોકોના આરોગ્યની ખેવના કરવા માટે રાજકોટ જેવા મહાનગરોમાં જેવી અદ્યતન ટેકનોલોજી સાથેની શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ વાળી હોસ્પિટલો ખુલી રહી છે પરંતુ એલોપથી સારવારથી દર્દીઓને અમુક હઠીલા અને અસાધ્ય રોગો મટતા નથી
ત્યારે પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રેષ્ઠ અને દિવ્ય વનસ્પતિ તેમજ ઔષધિઓથી જીવન ફરી તરોતાજા બની જતું હોય છે. મોરબીના રવાપર ગામ પાસે ઉમા હોલની સામે બાલકેશ્વર શિવ મંદિર સામે આગામી તા ૨૪ ફ્રેબ્રુઆરીએ સવારે ૯ થી ૧૨ દરમિયાન હોમિયોપેથીક મેડિકલ એસોસિએશન-મોરબી, આર્યતેજ હોમીઓપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લક્ષ્મીનગર-મોરબી દ્વારા હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નિઃશુલ્ક ફ્રી સારવાર કેમ્પમાં મોરબીના હોમિયોપેથીક ડોક્ટરો દ્વારા દર્દીઓના નિદાન અને સારવાર કરવામાં આવશે.