વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં શિવરાત્રીના દિવસે ઋષિ બોધોત્સવની ઉજવણી કરાશે


SHARE







ટંકારામાં શિવરાત્રીના દિવસે ઋષિ બોધોત્સવની ઉજવણી કરાશે

દર વર્ષે મહાશિવરાત્રિ દરમિયાન ટંકારા ખાતે યોજાતો ત્રિદિવસીય બોધોત્સવ આ વર્ષે શિવરાત્રીના દીને બપોર સુધી ઉજવણી કરવામાં આવશે. દ્રિશતાપદી મહોત્સવની ઉજવણી અંતર્ગત આ વર્ષે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ નહી યોજાઈ જો કે, ગુરૂકુલ અને આર્ય સમાજ સંયુક્ત ઉપક્રમે સ્થાનિક કક્ષાએ કાર્યકમ યોજાશે. 

 મહાશિવરાત્રિના દિને વૈદિકધર્મના પ્રચારક આર્ય સમાજના સ્થાપક વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક ઝંડાધારી મહર્ષિ દયાનંદ સરસ્વતી (મુળશંકર ને જ્ઞાન પ્રાપ્ત થયા નું માની) શિવરાત્રીને ૠષિની બોધ રાત્રી ગણી ટંકારા ત્રિદિવસીય બોધોત્સવ ઉજવે છે આ માટે અંદાજે દેશભરમાંથી જુદા જુદા રાજયોમાંથી હજારો જેટલા આર્યસમાજીઓ ટંકારા ખાતે પધારતા હોય છે પરંતુ થોડા દિવસ પહેલાં જ સ્વામીજી ના ૨૦૦ મા જન્મોત્સવની ઉજવણી ભવ્યાતિભવ્ય થઈ હતી અને ખુબ મોટી સંખ્યામાં આર્ય જગતમાં માનનારા લોકો ટંકારા પધાર્યા હતા જેને કારણે આ વર્ષે શિવરાત્રીના દિવસે સવારે ઓમ ધ્વજા રોહણ અને ચતુર્વેદી યજ્ઞની પૂર્ણાહુતિ અને ભોજનશાળા ખુલ્લી મુકી પ્રવચન ઈતિયાદી બપોર સુધીનો કાર્યક્રમ કરવાનું સ્થાનિક કમિટીએ આયોજન કર્યું હતું. આ ઉપરાંત દિલ્હીથી બાઈક ઉપર આવી રહેલા ૮૦ જેટલા આર્યવીરોને આ દિવસે આવકારી એમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.






Latest News