મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના યુવાનને શેરબજારમાં રોકાણની ટિપ્સ આપીને છેતરપિંડી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE















મોરબીના યુવાનને શેરબજારમાં રોકાણની ટિપ્સ આપીને છેતરપિંડી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપીને છેતરપીંડી તેમજ વિશ્વાસધાત કરવામાં આવે છે તેવો અગાઉ મોરબી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે જે ગુન્હામા સંડોવાયેલ વધુ બે આરોપીઓને સાયબર ક્રાઈમની ટીમે પકડી લીધેલ છે

જાણવા મળતી માહિતી ગત તા. ૪/૦૧/૨૦૨૪ ના રોજ કિશનભાઇ કાવર નામના અરજદારને વોટ્સઅપ નંબર ૯૬૬૨૬૪૬૯૩૨ ઉપરથી https://app.fopgos.com લીંક મોકલી વોટસએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલેલ હતી અને આ અરજદાર શેરબજારમાં રોકાણ કરતો હોય જેથી તેને આ વોટસએપ ચેટ દરમ્યાન શેરબજારમાં રોકાણ કરવા માટે જણાવતા ફરીયાદીએ ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ ૪.૪૭,૧૫૦ નું ઓનલાઈન ટ્રાન્જેકશન કરેલ હતું ત્યાર બાદ ફરીયાદી પોતે કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવા જણાવેલ તો આ કામના આરોપીઓએ પૈસા પાછા ન આપી ફરીયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો

આ ગુન્હામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામા આવેલ હતી અને ગુન્હાના મુળ સુધી જઇ ઉંડાણપુર્વક તપાસ કરી ગુન્હામા સંડોવાયેલ અન્ય આરોપીઓને શોધી કાઢવા રેન્જ આઇજી અશોકકુમાર અને એસપી રાહુલ ત્રિપાઠીએ સુચના આપી હતી જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી.વ્યાસ અને તેની ટિમ કામ કરી રહી હતી તેવામાં આ ગુનામાં વધુ બે આરોપીને પકડવામાં આવેલ છે જેમાં રાકેશભાઇ જયંતીભાઇ ઠાકોર રહેવડોદરા છાળી જકાતનાકા પરીમલ સોસાયટી તથા ચીરાગ ઉર્ફે દેવ સતીષભાઇ કહાર રહે. નાગરવાડા પ્રકાશનગરવડોદરા વાળાનો સમાવેશ થાય છે






Latest News