ખેડૂત ખરાઈ અંગેના પ્રમાણપત્રની સમસ્યા: મોરબીના સીટીઝન કાઉન્સીલે સીએમને કરી રજૂઆત
SHARE









ખેડૂત ખરાઈ અંગેના પ્રમાણપત્રની સમસ્યા: મોરબીના સીટીઝન કાઉન્સીલે સીએમને કરી રજૂઆત
ખેડૂતોને જમીન ખરીદી સમયે ખરાઈનું પ્રમાણપત્ર આપવાનું હોય છે અને એક જ જીલ્લામાં ખરીદી કરનાર ખાતેદારને તાલુકામાં જમીન ખરીદી માટે ખરાઈ પ્રમાણપત્ર માંગવામાં આવે છે જે બાબતે મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા સીએમને જૂઆત કરવામાં આવી છે.
મોરબી સીનીયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. બી કે લહેરૂ, મંત્રી મહેશભાઈ ભટ્ટ દ્વારા હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, કોઈ ખેડૂત જમીન ખરીદે છે ત્યારે જે તે જીલ્લાનો હોય અને તે ખેડૂત તે જ જીલ્લાના તાલુકા ગામની જમીન ખરીદ કરે છે ત્યારે તેની પાસેથી ખેતીની જમીન ખાતે કરવા ખરાઈનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે જો એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં જમીન ખરીદે અને પ્રમાણપત્ર માંગવામાં આવે તે વ્યાજબી છે પરંતુ એક જીલ્લાના ખાતેદાર હોય અને તે જ તાલુકામાં જમીન ખરીદી કરે તો પ્રમાણપત્ર માંગવામાં આવે ત્યારે ખેડૂતોને જમીન ખાતે કરવા માટે હેરાન થવું પડે છે જે જીલ્લામાં જમીન લે ત્યાં પ્રાંત અધિકારી તથા રેવન્યુ ડીપાર્ટમેન્ટ અધિકારી ઓનલાઈન ખાતેદાર છે કે નહિ તે જોઈ સકે છે જેથી જીલ્લાના તાલુકામાં જ જમીન ખરીદે તો ખાતે કરવા ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી છે

