મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ મોરબીની હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય કલર-વાસી ખોરાકનો નાશ કરતી મનપાની ફુડ શાખા મોરબીના લોકલાડીલા-લડાયક નેતા અને રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે શિવશક્તિ યજ્ઞ યોજાયો મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ મોરબીમાં જેટિંગ મશીનના ટ્રક ચાલકે ગટરનું ઢાકણું તોડી નાખતા વાહન ફસાઈ ગયું: જીવલેણ અકસ્માત પહેલા આડસ મુકવાની માંગ મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

ખેડૂત ખરાઈ અંગેના પ્રમાણપત્રની સમસ્યા: મોરબીના સીટીઝન કાઉન્સીલે સીએમને કરી રજૂઆત


SHARE













ખેડૂત ખરાઈ અંગેના પ્રમાણપત્રની સમસ્યા: મોરબીના સીટીઝન કાઉન્સીલે સીએમને કરી રજૂઆત

ખેડૂતોને જમીન ખરીદી સમયે ખરાઈનું પ્રમાણપત્ર આપવાનું હોય છે અને એક જ જીલ્લામાં ખરીદી કરનાર ખાતેદારને તાલુકામાં જમીન ખરીદી માટે ખરાઈ પ્રમાણપત્ર માંગવામાં આવે છે જે બાબતે મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા સીએમને જૂઆત કરવામાં આવી છે.

મોરબી સીનીયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. બી કે લહેરૂમંત્રી મહેશભાઈ ભટ્ટ દ્વારા હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, કોઈ ખેડૂત જમીન ખરીદે છે ત્યારે જે તે જીલ્લાનો હોય અને તે ખેડૂત તે જ જીલ્લાના તાલુકા ગામની જમીન ખરીદ કરે છે ત્યારે તેની પાસેથી ખેતીની જમીન ખાતે કરવા ખરાઈનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે જો એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં જમીન ખરીદે અને પ્રમાણપત્ર માંગવામાં આવે તે વ્યાજબી છે પરંતુ એક જીલ્લાના ખાતેદાર હોય અને તે જ તાલુકામાં જમીન ખરીદી કરે તો પ્રમાણપત્ર માંગવામાં આવે ત્યારે ખેડૂતોને જમીન ખાતે કરવા માટે હેરાન થવું પડે છે જે જીલ્લામાં જમીન લે ત્યાં પ્રાંત અધિકારી તથા રેવન્યુ ડીપાર્ટમેન્ટ અધિકારી ઓનલાઈન ખાતેદાર છે કે નહિ તે જોઈ સકે છે જેથી જીલ્લાના તાલુકામાં જ જમીન ખરીદે તો ખાતે કરવા ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી છે








Latest News