મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે વાડીએ બકરા ચરાવવા બાબતે બોલાચાલી-મારામારી: સામસામે ફરિયાદ


SHARE











હળવદના સાપકડા ગામે વાડીએ બકરા ચરાવવા બાબતે બોલાચાલી-મારામારી: સામસામે ફરિયાદ

હળવદ તાલુકાના સાપકડા ગામે વાડીએ બકરા ચરાવવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બંને પક્ષેથી મારામારી થઈ હતી જેથી ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા વીજુબેન નાનજીભાઈ નંદેસરીયા જાતે કોળી (૪૦)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુપતભાઈ કાનજીભાઈ સોરીયા જાતે ભરવાડ અને લખમણભાઇ પાંચાભાઇ ભરવાડ રહે. બંને સાપકડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સાપકડા ગામની ડુંગર સીમમાં તેઓની ભાગવી વાવેલ વાડી આવેલ છે અને ત્યાં આરોપીઓ તેમની વાડીમાં બકરા ચરાવતા હોય તેને બકરા ચરાવવાની ના પાડતા આરોપીઓએ ગાળો આપી હતી અને ત્યારે ફરિયાદીની દીકરી ભારતીને ભુપતભાઈ સોરીયાએ તેની પાસે રહેલ કુહાડીના હાથા વડે માથાના ભાગે માર મારતા માથામાં તેને ઇજા થવાથી ટાંકા આવ્યા હતા તેમજ ફરિયાદી મહિલાને કુવાડીના લાકડીના હાથા વડે ડાબા હાથના કાંડામાં મારતા તેને ઈજા થઈ હતી તેમજ લખમણભાઇ ભરવાડે છૂટા પથ્થરના ઘા કરી ફરિયાદીની દીકરી રાધિકાબેનને ડાબા હાથે ઇજા કરી હતી અને વર્ષાને પીઠના ભાગે ઇજા કરી હતી જેથી ભોગ બનેલ ચારેય વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ વિજુબેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં ભુપતભાઈ કાનાભાઈ સોરીયા જાતે ભરવાડ (૪૫)એ રાધિકા નાનજીભાઈ નંદેસરીયા, ભારતી નાનજીભાઈ નંદેસરીયા, વર્ષા નાનજીભાઈ નંદેસરીયા, વિજુબેન નાનજીભાઈ નંદેસરીયા તેમજ વિજુબેનના જમાઈ મેહુલ રહે. બધા સાપકડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, રાધિકા, ભારતી અને વર્ષાએ ફરિયાદી તથા લક્ષ્મણભાઈને બકરા ચરાવવા બાબતે ગાળો આપી હતી અને ત્યારબાદ વીજુબેને ત્યાં આવી ફરિયાદી અને લખમણભાઇને પથ્થરો મારતા તેઓને ડાબા ખભે, દાઢી તથા હોઠના ભાગે ઇજા થઈ હતી અને ત્યારબાદ મેહુલે ત્યાં આવીને હાથમાં રહેલ છોરીયા વડે ફરિયાદીને ડાબા હાથની કોણીના ભાગે મારતા તેને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે હાલમાં ચાર મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News