મોરબીમાં જ્ઞાનસેતુ-જ્ઞાનસાધના પરીક્ષાની તૈયારી માટેના તાલીમ વર્ગની ડીડીઓએ લીધી મુલાકાત
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં અગાઉ થયેલ ગેરીરીતિ-કાંડની ડીપીઇઓએ ત્રણ ટીપીઓને તપાસ સોપી
SHARE









મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં અગાઉ થયેલ ગેરીરીતિ-કાંડની ડીપીઇઓએ ત્રણ ટીપીઓને તપાસ સોપી
ટંકારા તાલુકાનાં ધોલીયા ગામના રહેવાસીએ ડીડીઓને થોડા સમય પહેલા લેખિતમાં ફરિયાદ કરી હતી અને મોરબી જિલ્લાના શિક્ષક વિભાગમાં અગાઉ કરવામાં આવેલ કાંડની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરવા માટે ત્રણ ટીપીઓની તપાસ સમિતિ બનાવવામાં આવી છે જેમાં વાંકાનેરના ટીપીઓ જિગ્નેશભાઈ વોરા, હળવદના ટીપીઓ દીપાબેન બોડા અને ટંકારાના ટીપીઓ જીવણભાઈ જારિયાનો સમાવેશ થાય છે અને જિગ્નેશભાઈ વોરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર તપાસ કરવા માટેનો આદેશ કરવામાં આવેલ છે
ટંકારા તાલુકાનાં ધોલીયા ગામના રહેવાસી મહેબુબભાઇ એમ. હાલા (પત્રકાર)એ જે લેખિત રજૂઆત ડીડીઓને કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી નવ રચિત જિલ્લો થતા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચ્છને ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મોરબીનો ચાર્જ આપવામાં આવ્યો હતો ત્યારે મોરબી બીઆરસીનો હોદ્દો ધરાવતા વડસોલા દિનેશભાઈ જે હાલમાં માધાપર વાડી પ્રાથમિક શાળામાં આચાર્ય તે ત્યારે માત્ર શિક્ષક હતા તો પણ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ આપવામાં આવ્યો હતો. આ હોદો નિયમ અનુસાર માત્ર કેળવણી નિરીક્ષકને જ મળી શકે છે અને ત્યારે મોરબી જિલ્લામાં એક કે બે નહીં છ કેળવણી નિરીક્ષકો હોવા છતાં રાજકીય વગનો ઉપયોગ કરીને નિયમ વિરુદ્ધ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બનાવવામાં આવ્યા હતા અને જે તે સમયે બદલી કેમ્પમાં શિક્ષકો તેમજ સીઆરસીને પસંદગીની જગ્યા આર્થિક લાભ મેળવી આપાવેલ હતી તેવો રજૂઆતમાં આક્ષેપ છે
આટલું જ નહીં પરંતુ ત્યારે બીઆરસી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો હોદો ધરાવતા વડસોલા દિનેશભાઈ ઓમ સ્ટેશનરી નામની દુકાન ચલાવતા જેમાં શાળાને ઉપયોગી હોય તેવી તમામ વસ્તુઓ અને ખોટા ત્રણ ભાવ માટે બિલો રાખતા અને શાળાઓના આચાર્યને ડરાવી ધમકાવીને તેમની દુકાનેથી જ વસ્તુઓ ખરીદવા આગ્રહ રાખતા હતા અને નાણાકીય ભ્રષ્ટાચાર કરવા હોદ્દાનો ખોટો ઉપયોગ કરેલ છે જો આ બાબતે તપાસ કરવામાં આવે તો આજે પણ અનેક શાળામાંએ બીલો મળશે અને ઘણું બધું બહાર આવે તેવું અરજદારે પોતાની અરજીમાં જણાવ્યુ છે તેવી જ રીતે બીઆરસી તરીકે શાળાઓમાં આવતી શાળા વિકાસ ગ્રાન્ટ અને બેંક વ્યાજની લાખો રૂપિયાની રકમ બીઆરસીના એકાઉન્ટમાં પરત લઈ સર્વશિક્ષા અભિયાન કચેરીને પરત આપવાના બદલે બીઆરસી ભવનનું રીનોવેશન કરવાના બહાને લાખો રૂપિયાનો નાણાકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પણ આક્ષેપ અરજીમાં કરેલ છે
તેમજ વર્ષ ૨૦૨૧ માં શાળાઓ મર્જ કરવા બાબતે અધિકારી અને કચેરીને બદનામ કરવા ૧૧ શિક્ષકોને ગેરમાર્ગે દોરી કોર્ટ મેટર કરાવેલ હતી, વાંકાનેર તાલુકામાં એક શિક્ષિકાને શારીરિક અને માનસિક ત્રાસ બાબતે આચાર્યની બદલી કરવામાં રાજકીય વગાનો ઉપયોગ કરી તે આચાર્યને ફરી વાંકાનેર તાલુકામાં મુકાવેલ હતા જિલ્લા અને તાલુકાની શિક્ષણ શાખામાં કર્મચારીઓને ઘટ હોવાથી શિક્ષકો દ્વારા કામગીરી કરવામાં આવે છે આ બાબતે પોતાના મળતીયાઓને ગોઠવવા અને અન્યને સારી કામગીરી છતાં છુટા કરવામાં પણ રાજકીય માણસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, શિક્ષક સજ્જતા કસોટીમાં શિક્ષણ મંત્રીની અપીલ છતાં શિક્ષકોને ગેરમાર્ગી દોરી કસોટીથી દૂર રાખતા મોરબીમાં શિક્ષકોની હાજરીનું પ્રમાણ ખૂબ નીચું રહેલ હતું, આટલું જ નહીં અગાઉ પણ કૌભાંડ અને ગેરરીતિ બાબતે જિલ્લામાં અરજી થયેલ અને તપાસ સમિતિએ તપાસ પણ કરેલ હતી જો કે, રાજકીય વગના લીધે તપાસ સમિતિના રિપોર્ટને દબાવી દેવામાં આવ્યો હતો જેથી વધુ એક વખત તપાસની માંગ કરવામાં આવેલ છે અને જો વર્ષ ૨૦૧૦ થી અત્યાર સુધીની તપાસ કરવામાં આવે તો ઘણી બધી ગેરરીતી તેમજ કૌભાંડ સામે આવશે તેવું અરજદારે તેની અરજીમાં જણાવ્યુ છે અને હાલમાં તપાસ માટે કમિટીની રચના પણ કરી દેવામાં આવેલ છે ત્યારે આગામી સમયમાં તપાસ કમિટી સુધી બહાર લાવશે તે તે આગામી સમય જ બતાવશે

