મોરબીમાં ધારવારા હનુમાનજી મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે સંતવાણી યોજાશે
મોરબીમાં યુવાને પોતાના જ ઘરમાં કોઈ કારણોસર ન કરવાનું કરી નાખ્યું
SHARE
મોરબીમાં યુવાને પોતાના જ ઘરમાં કોઈ કારણોસર ન કરવાનું કરી નાખ્યું
મોરબીના વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદની પાછળના ભાગમાં ફુલછાબ કોલોનીમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદની પાછળના ભાગમાં આવેલ ફુલછાબ કોલોનીમાં રહેતા સલીમભાઈ સુમારભાઈ સુમરા (૪૦) નામના યુવાને કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.આર.સારદિયા ચલાવી રહ્યા છે.
હાર્ટ એટેકથી મોત
વાંકાનેર તાલુકાના જાલીડા ગામે દેવ પેકેજીંગ ખાતે હાલમાં રહેતા મૂળ બિહારના રહેવાસી વાસુદેવભાઈ શિવધરભાઈ રામ (૬૮) નામના વૃદ્ધ લેબર કોલોનીમાં પોતાના ક્વાર્ટરમાં હતા ત્યારે બીમારી સબબ બેભાન થઈ જતા તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને વૃદ્ધનું હાર્ટ અટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.