મોરબીમાં ધારવારા હનુમાનજી મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે સંતવાણી યોજાશે
SHARE
મોરબીમાં ધારવારા હનુમાનજી મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે સંતવાણી યોજાશે
મોરબીમાં સામાકાંઠે આવેલ ઉમિયાનગરમાં શ્રી ધારવારા હનુમાનજી મહારાજ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ઉજવણી નિમિતે ધૂન ભજન અને સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે જ મહાપ્રસાદ પણ રાખવામા આવેલ છે
મોરબીમાં ઉમિયાનગરમાં શ્રી ધારવાર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં તા. ૧૫ ને સોમવારે રાત્રે ૯: ૩૦ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત તા. ૧૬ ને મંગળવારે સવારે ૭: ૩૦ કલાકે મારૂતિ હવન અને સાંજે ૬: ૩૦ કલાકે સમસ્ત ઉમિયાનગરનો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે સંતવાણીના કલાકારો તેમજ મંડપ સર્વિસનો આર્થિક સહયોગ સ્વ। નાથાભાઈ ડાભીના દીકરા વિનોદભાઇ નાથાભાઈ ડાભી તરફથી આપવામાં આવેલ છે તેમજ ૫૧,૦૦૦ નો આર્થિક સહયોગ આ ધાર્મિક કાર્ય માટે ડાભી પરિવાર તરફથી આપવામાં આવેલ છે
મેડિકલ કેમ્પ
મોરબીમાં ડો. હસ્તીબેન મહેતાનો ૧૪૧ મો એક દિવસીય ફ્રી નિદાન અને સારવાર કેમ્પ આગામી શનિવારે રાખવામા આવેલ છે અને સ્વ. ચંદુલાલ ધરમશીભાઈ શાહ હસ્તે ઉમેશભાઈ સી. શાહ (બેંગ્લોર) ના સહયોગથી તા. ૧૩ ને શનિવારે બપોરે ૪ થી ૬ સુધી રાખવામા આવેલ છે અને ડો. હસ્તીબેન મહેતાના આ કેમ્પમાં દર્દીઓને નિશુલ્ક નિદાન ઉપરાંત ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે સાથે જ ડાયાબીટીસ અને બીપી ચેક કરી આપવામાં આવશે તો જયસુખભાઈ પટેલ હાથ-પગ-કમરના સાંધાના દુખાવા અને વા ના દર્દીઓને પોઈન્ટ આપીને ફ્રી સારવાર આપશે