હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના મિલી પાર્કમાં ઘરે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબીના મિલી પાર્કમાં ઘરે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે સીએનજી પમ્પની સામેના ભાગમાં આવેલ મિલી પાર્કમાં રહેતી મહિલાએ પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે સીએનજી પમ્પની સામેના ભાગમાં આવેલ મિલી પાર્કમાં રહેતા ધર્મિષ્ઠાબેન સતિષભાઈ કાવર જાતે પટેલ (૩૫) નામની પરિણીતાએ પોતે પોતાની જાતે પોતાના ઘરે ગત તા.૨/૪/૨૪ ના રોજ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીમાં આવેલ  શ્યામ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલુ હતી દરમિયાન તેનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એલ. ઝાલા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો આઠ વર્ષનો હતો અને તે સાસુ સસરા સાથે જ રહેતા હતા અને તેને સંતાનમાં એક દીકરો હતો જો કે, મહિલાએ આ પગલું ભરી લેતા સંતાને માતાની છત્રછાયા ગુમાવી છે અને મહિલાએ કયા કરણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં હવે આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે






Latest News