હળવદના સુરવદર ગામની શાળાના બે વિદ્યાર્થી જવાહર નવોદય વિદ્યાલયમાંની પરીક્ષામાં પાસ
SHARE
હળવદના સુરવદર ગામની શાળાના બે વિદ્યાર્થી જવાહર નવોદય વિદ્યાલયમાંની પરીક્ષામાં પાસ
હળવદ તાલુકાના સુરવદર ગામે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે લેવામાં આવતી પરીક્ષા આપે છે અને આ પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે અને આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ થી ૧૨ સુધી નિવાસી શાળામાં રહેવા તથા જમવાનો સાથેની ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે આ પરીક્ષામાં સુરવદર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના છેલ્લા છ વર્ષથી દર વર્ષે પરીક્ષા આપે છે અને હાલમાં જવાહર નવોદય વિદ્યાલયમાં આ શાળાના છ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે વર્ષ ૨૦૨૪ માં ધો. ૬ માં પ્રવેશ માટે જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં શાળાના મૈયડ રુદ્ર સુરેશભાઈ તથા ખીમાણીયા નિમેષ ધીરુભાઈ આ બંને વિદ્યાર્થીઓ પાસ થઈને પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે જે બદલ પ્રાથમિક શાળાના આચાર્ય સહિતા શૈક્ષણિક સ્ટાફ દ્વારા બંને વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી